બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અમદાવાદ / Employment recruitment fair will be held in 4 colleges of Gandhinagar and Ahmedabad
Malay
Last Updated: 12:27 PM, 14 March 2023
નોકરી શોધી રહેલા યુવક-યુવતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની 4 કોલેજોમાં 14થી 16 માર્ચ સુધી ભરતી મેળા યોજવા જઈ રહ્યા છે. તો 18મી માર્ચે રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
4 કોલેજોમાં 16 માર્ચ સુધી ભરતી મેળો
અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ વિદ્યા શાખાની 4 સરકારી અને ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે રોજગાર મેળા યોજાશે. આ ઉપરાંત શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.
આજે ગાંધીનગર ખાતે જોબ ફેર
વિગતવાર વાત કરીએ તો આજે એટલે કે 14 માર્ચે ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે. આ ઉપરાંત ગાંધીનગર પોલિટેકનિકમાં 15 અને 16 માર્ચે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે નરોડાની કોલેજ ખાતે યોજાશે ભરતી મેળો
સાથે જ આવતીકાલે એટલે કે 15મી માર્ચે અમદાવાદની નરોડા આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સ્વામિનારાયણ આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ 15 માર્ચે જોબ ફેર યોજાશે. ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. આ ભરતી મેળામાં 450 કંપનીઓ ભાગ લેશે.
રોજગાર કચેરી દ્વારા યોજાશે ભરતી મેળો
આગામી 18મી માર્ચે શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળા થકી 500 કરતા વધારે ઉમેદવારોની પસંદગી ઈન્ટવ્યુના માધ્યમથી કરવામાં આવશે. આ ભરતી મેળામાં ધોરણ 9, 10 અને 12 પાસ ઉમેદવારો સહિત ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા