બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Despite the new PM, ShariLanka is still burning, the army has launched an operation in a violent demonstration
હજુ પણ લંકા સળગી રહી છે
ADVERTISEMENT
નવા PM છતાં, શાંતિ ન સ્થપાઈ
વિરોધ પ્રદર્શનોને કચડવાનો પ્રયાસ
ADVERTISEMENT
કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર સેના અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ હતી. રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર દેખાવકારોને નિયંત્રિત કરવા અને દેખાવકારોને કન્ટ્રોલ કરવા માટે સૈનિકોએ તેમના ટેન્ટ ઉખાડવાનું શરૂ કર્યું તો તેઓ ઉગ્ર બન્યા હતા
Protest is happening in front of Colombo Fort Railway station against the assault at Galle Face Protest site.#LKA #SriLanka #SriLankaCrisis pic.twitter.com/wf3JkpsYJW
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 22, 2022
Video via @Meerasrini
ADVERTISEMENT
રાનિલ વિક્રમસિંઘ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ શ્રીલંકામાં શાંતિ સ્થપાઈ નથી
ADVERTISEMENT
ઉલ્લેખીય છે કે, દિનેશ ગુણવર્ધનેને શ્રીલંકાના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમની વડાપ્રધાનપદે નિમણૂક કરી છે.ગુણવર્ધને એજ્યુકેશન મિનિસ્ટર રહી ચૂક્યા છે.જો કે, રાનિલ વિક્રમસિંઘ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ શ્રીલંકામાં શાંતિ સ્થપાઈ નથી.તેમને ગોટબાયાનો ચહેરો ગણાવીને દેખાવકારો ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે.
#KlausSchwab’s newly appointed man in #SriLanka has deployed the military to disband peaceful protesters. pic.twitter.com/AidZZky0pt
— The World Reviews (@tworldreviews) July 22, 2022
ADVERTISEMENT
ગુરુવારે મોડી રાતે કોલંબોમાં સેના અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ
ADVERTISEMENT
બીજી તરફ ગુરુવારે મોડી રાતે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર સેના અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ હતી. રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર દેખાવકારોને નિયંત્રિત કરવા માટે સશસ્ત્ર સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા હતા.દેખાવકારોને કન્ટ્રોલ કરવા માટે સૈનિકોએ તેમના ટેન્ટ ઉખાડવાનું શરૂ કર્યું તો તેઓ ઉગ્ર બન્યા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
This happened about an hour ago. The military is trying to attack the public. This state oppression must stop.#lka #SriLanka #SriLankaProtest #GoHomeRanil #HumanRights #HumanRightsViolations #අරගලයටජය pic.twitter.com/HdlqvqgREB
— Prasad Welikumbura (@Welikumbura) July 22, 2022
પ્રદર્શનકારીઓએ હાર નહીં સ્વીકારવાનો નિર્ધાર કર્યો
દેખાવકારોનું કહેવું હતું કે,રાનિલ વિક્રમસિંઘે પ્રદર્શકારીઓને નષ્ટ કરવા માગે છે, આથી તેઓ ફરીથી આમ કરી રહ્યા છે,જોકે તેમ છતાં પ્રદર્શનકારીઓએ હાર નહીં સ્વીકારવાનો નિર્ધાર કર્યો હતો.સશસ્ત્ર દળોની કાર્યવાહીની વચ્ચે એક દેખાવકારે કહ્યું કે તેઓ તેમના દેશને ગંદા રાજકારણથી મુક્ત બનાવવા માટે અંતિમ શ્વાસ સુધી લડી લેવા તૈયાર છે.
The #GGG ranks as "the most united protest we have seen in recent times", and it does not guarantee lasting peace, this period of cooperation could make way for stronger democracy after the crisis.#GGG #GotaGoGama #Aragalaya #Colombo #SriLanka #SriLankaProtests pic.twitter.com/UneWZqziyn
— Gresha Dhanusankaha🇱🇰 (@dhanusankaha) July 22, 2022
શ્રીલંકાએ 20 જુલાઈએ પૂર્વ PM રાનિલ વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ ચૂંટ્યા છે
આપને જણાવી દઈ એ કે, આર્થિક અને રાજકીય સંકટની વચ્ચે શ્રીલંકાની પાર્લમેન્ટે 20 જુલાઈએ પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને નવા રાષ્ટ્રપતિ ચૂંટ્યા છે. તેમ છતાં રસ્તાઓ પર હાલ પણ દેખાવો ચાલુ છે. દેખાવકારોનો આરોપ છે કે રાજપક્ષે પરિવારે પોતાની વ્યક્તિ તરીકે વિક્રમસિંઘેને ગાદી પર બેસાડ્યા છે. એનાથી સ્થિતિ બદલાવાની નથી. તેમનું માનવું છે કે, પોતાની સત્તાને બચાવવા માટે રાજપક્ષે પરિવારે વિક્રમસિંઘે સાથે ડીલ કરી છે. તે લોકો સાથે કરવામાં આવેલો અન્યાય છે.આમ છેલ્લા ત્રણ મહિના દરમિયાન સરકારમાં સામેલ નેતાઓએ સ્થિતિને સુધારવા માટે ઘણી વાતો તરફથી દાવા કર્યા, જોકે વાસ્તવિકતા સુધરી નથી. હવે લોકોને રાજપક્ષે પરિવાર અને તેમના દ્વારા બેસાડવામાં આવેલા કોઈપણ નેતા પર કોઈ ભરોસો નથી. દેખાવકારોનું માનવું છે કે રાનિલ વિક્રમસિંઘેને શ્રીલંકાના રાષ્ટ્રપતિપદ પર બેસાડીને રાજપક્ષે પરિવાર પોતાને આરોપથી બચાવવા માગે છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.