બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અમદાવાદ / Despite COVID restrictions, women in large numbers gathered at Navapura village in Sanand, Ahmedabad
Parth
Last Updated: 01:16 PM, 5 May 2021
હજારોની સંખ્યામાં લોકો માસ્ક અને સામાજિક અંતર વગર એકઠા થયા
એક તરફ જ્યાં ગુજરાતની જનતા કોરોના વાયરસના કારણે પીડાઈ રહી છે તથા લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આસ્થાના નામે કોરોના વાયરસના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
સાણંદના નિધરાડ અને નવાપુરામાં લોકોએ જળયાત્રા કાઢી હતી
કોરોના વાયરસને હરાવવા માટે લોકોમાં અંધશ્રદ્ધા વધી રહી છે. કોરોના વાયરસને દૂર કરવા માટે ગામના લોકોએ બળિયાદેવની બાધા રાખી હતી. એવામાં સાણંદના નિધરાડ અને નવાપુરા ગામના લોકોએ બળિયાદેવની બાધા માટે જળયાત્રા કાઢી હતી. આ જળયાત્રામાં ડીજેના તાલ સાથે સેંકડોની સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી.
ગ્રામ્ય વિસ્તારમાં લોકો બાધા રાખી રહ્યા છે
પૂજા વિધિમાં સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો અને સામાજિક અંતરનું પણ ભંગ કરવામાં આવ્યો હતો. ગામના લોકોએ માસ્ક પણ પહેર્યું હતું નહીં. એવામાં આ કાર્યક્રમનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
23 લોકોની ધરપકડ કરવામાં આવી
અમદાવાદના ગ્રામ્યના DYSPએ આપેલ જાણકારી અનુસાર કોરોના વાયરસના નિયમોનો ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરપંચ સહિત 23 લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા