બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ભારત / Dadasaheb Phalke's 80th death anniversary: A look at his unparalleled contribution to Indian cinema
Hiralal
Last Updated: 11:15 AM, 16 February 2024
भारतीय फिल्म उद्योग के पितामह दादा साहब फाल्के जी की पुण्यतिथि पर कोटि कोटि नमन।#DadasahebPhalke pic.twitter.com/JT8jQS7gUZ
— Dr.Sudha Yadav (@drsudhayadavBJP) February 16, 2024
ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની આજે 80મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તેમને યાદ કરવા જરુરી છે. દાદાસાહેબને ફિલ્મોનો એટલો શોખ હતો કે તેમણે પોતાની પહેલી ફિલ્મ માટે પત્નીના દાગીના પણ ગિરવે મૂક્યા હતા અને હીરોઈન ન મળી તો છેક રેડ લાઈટ એરિયામાં વેશ્યાને શોધવા પણ ગયા હતા જોકે વેશ્યાએ તેમની ફિલ્મમા કામ કરવાની ના પાડી છતાં પણ તેમણે હિંમત ન હારી અને આખરે ભારતીય સિનેમાનો પાયો નાખીને જ રહ્યાં. ધુંડીરાજ ગોવિંદ ફાળકેનો જન્મ 30 એપ્રિલ, 1870ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ હતું ગોવિંદ સદાશિવ ફાળકે, જેઓ સંસ્કૃતના વિદ્વાન અને એક મંદિરમાં પૂજારી હતા. દાદાસાહેબ ફાળકેએ ફિલ્મો બનાવવાની ટેક્નિક લંડનથી શીખી હતી. આ પછી તેઓ દેશમાં પાછા આવ્યાં હતા અને પહેલી ફિચર ફિલ્મ બનાવવાની તૈયારી શરૃ કરી હતી.
Remembering the visionary Dadasaheb Phalke Ji, the father of Indian cinema, on his death anniversary. His pioneering efforts laid the foundation for the Indian film industry, inspiring generations of filmmakers.#DadasahebPhalke pic.twitter.com/mVQh51nTBG
— Praful Patel (@praful_patel) February 16, 2024
હરિશ્ચંદ્રની તારામતીને શોધવા વેશ્યા પાસે પહોંચ્યાં
રાજા હરિશ્ચંદ્ર નામની આ ફિલ્મ બનાવવી તેમના માટે સૌથી મોટો સંઘર્ષ સાબિત થયો. તેમણે પત્ની સરસ્વતી બાઈના દાગીના ગિરવે મૂકીને ફિલ્મના પૈસા ભેગા કર્યાં.
રાજા હરિશ્ચંદ્ર અને અન્ય પુરુષ પાત્રો માટે કલાકારો મળી આવ્યા હતા, પરંતુ રાજા હરિશ્ચંદ્રની પત્ની તારામતીનો રોલ લેવા કોઈ મહિલા તૈયાર નહોતી. આથી મહિલા કલાકારની શોધ માટે તેમણે વેશ્યા તરફ નજર દોડાવી અને એક દિવસ મુંબઈના રેડ લાઇટ એરિયામાં જઇને ત્યાંની મહિલાઓની સામે ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. આના પર તે મહિલાઓએ પૂછ્યું કે તેમને કેટલા રૂપિયા મળશે. દાદાસાહેબ ફાળકેએ આપેલો જવાબ સાંભળીને એ મહિલાઓએ કહ્યું કે તમે આટલા કામ માટે જેટલા રૂપિયા આપો છો, અમે એક જ રાતમાં કમાઈ લઈએ છીએ.આ જવાબ સાંભળ્યા પછી પણ દાદાસાહેબે હિંમત ન હારી અને નાયિકાની શોધ ચાલુ રાખી. એક દિવસ દાદાસાહેબ હોટલમાં ચા પી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ત્યાં એક છોકરો કામ કરે છે. ખૂબ જ ગોરો અને પાતળો એ છોકરો જોઈને દાદાસાહેબે વિચાર્યું કે તેને તારામતીનું પાત્ર કેમ ન ભજવવા મજબૂર કરી દે અને પછી થયું. સાલુન્કેએ તારામતીનું પાત્ર ભજવ્યું હતું અને 1913માં ભારતીય સિનેમાને તેની પ્રથમ પૂર્ણ લંબાઈની ફિચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર મળી હતી. કહેવાય છે કે એ સમયે આ ફિલ્મ બનાવવાનું કુલ બજેટ 15 હજાર રૂપિયા હતું અને એને બનાવવામાં એને છ મહિનાનો સમય લાગ્યો હતો.
Today, as we mark the death anniversary of #DadaSahebPhalke Ji, we honor the enduring legacy of trailblazing architect of Indian cinema.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) February 16, 2024
His unwavering resolve & exceptional endeavors serve as a perpetual wellspring of motivation for filmmakers & creatives across generations. pic.twitter.com/OKD9jQVC37
આ રીતે આવ્યો ફિલ્મ બનાવવાનો વિચાર
દાદાસાહેબ ફાળકેને ફિલ્મો જોવાનો શોખ હતો. એક વખત તેઓ ઈશુ ખ્રિસ્તનું જીવન વાંચી રહ્યાં હતા ત્યારે તેમણે પહેલી વાર ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હતો. આ પછી તેઓ ફિલ્મને નજીકથી સમજવા માટે ચાર-પાંચ કલાક વિદેશી ફિલ્મો પણ જોતા હતા. તે સમયે ભારતમાં ફિલ્મો બનાવવાની કોઈ સુવિધા નહોતી. આ માટે જરૂરી સાધનો ઇંગ્લેન્ડમાં ઉપલબ્ધ હતા. ત્યાંથી તેમણે ફિલ્મ નિર્માણની ટેકનિક શીખીને જીવનભરની બચતનું રોકાણ કરીને સાધનો લાવ્યા હતા. બાદમાં તેમની કાલિયા-મરદાન અને લંકા-દહન જેવી ફિલ્મો ઘણી સફળ સાબિત થઇ હતી, જેમાંથી તેમણે કમાણી પણ કરી હતી. જો કે તેની શરૂઆતની તમામ ફિલ્મોમાં અવાજ નહોતો. તેની છેલ્લી સાઇલન્ટ ફિલ્મ સેતુબંધન હતી. કહેવાય છે કે જ્યારે આલમ આરા સાથેની ફિલ્મોમાં અભિનયની સાથે અવાજનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે દાદાસાહેબને તકલીફ થવા માંડી હતી. આ પછી તેને ફિલ્મ નિર્માણમાં પહેલા જેવી સફળતા મળી શકી નહોતી અને ધીરે ધીરે તેનાથી દૂર જતી રહી હતી.
We pay our humble tributes to the Father of Indian Cinema, Dadasaheb Phalke, widely remembered for his masterpiece, 'Raja Harishchandra', the first full-length Indian feature film.
— Congress (@INCIndia) February 16, 2024
His unparalleled legacy continues to inspire awe in generations to this day. pic.twitter.com/WpKnMZMQ9A
1969માં દાદાસાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત
દાદાસાહેબની ફિલ્મ કારકિર્દી 19 વર્ષ સુધી ચાલી હતી. તેમણે 95 ફિચર ફિલ્મો અને 27 શોર્ટ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેઓ પોતે એક સારા દિગ્દર્શકની સાથે સાથે નિર્માતા અને પટકથા લેખક પણ હતા. ભારતીય સિનેમાનો પાયો નાખીને તેનું વિશાળ વટવૃક્ષ બનાવી દેનાર આ વીરલો આખરે 16 ફેબ્રુઆરી 1944ના રોજ હંમેશને માટે આથમી ગયો.
1969માં ભારતીય સિનેમાના સૌથી મોટા સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત તેમના નામે કરવામાં આવી હતી. અભિનેત્રી દેવિકા રાનીને સૌ પ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા