બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / COVID surge: Next 4 weeks very critical for India; coronavirus vaccine safe, don't be complacent, says Centre
Hiralal
Last Updated: 06:40 PM, 6 April 2021
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સાથે પ્રેસ કોન્ફન્સને સંબોધિત કરતા નીતિ આયોગના મેમ્બર પ્રોફેસર વિનોદ કે પૌલે જણાવ્યું કે ભારતમાં કોવિડ મહામારી વધી છે. આ મહામારીને હળવાશથી લઈ શકાય તેમ નથી. કોરોનાના કેસો વધી રહ્યાં છે કોરોના વાઈરસના કેસો વધવાની ગતિ પણ ગત સમય કરતા ખૂબ વધારે છે. માટે લોકોએ સાવધાની રાખવી જરુરી છે અન્યથા પરિસ્થિતિ સંભાળવી ઘણી અઘરી બની જશે.
આગામી ચાર અઠવાડિયા ભારત માટે ઘણા ગંભીર
વિનોદ પૌલે જણાવ્યું કે આગામી ચાર અઠવાડિયા ભારત માટે ઘણા ગંભીર છે. આપણે હજુ પણ મહામારીને કન્ટ્રોલમાં રાખી શકીએ તેમ છીએ. પરંતુ લોકોની ભાગીદારી ખૂબ જરૂરી છે. તેમણે લોક માનસમાંથી કોરોનાની રસી અંગેની અનિશ્ચતતા અને શંકાઓ પણ દૂરર કરી. તેમણે કહ્યું કે વિદેશમાં ક્યાંય પણ 45 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે કોરોના રસી ફરજિયાત નથી પરંતુ ભારતમાં 45 વર્ષની વધારે વયના લોકોને કોરોનાની રસી મફતમાં અપાઈ રહી છે. લોકોએ રસી મૂકાવવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતમાં ઉપલબ્ધ કોરોનાની રસી ખૂબ જ સુરક્ષિત અને અસરકારક છે.
દેશમાં 92 ટકા દર્દીઓ છે તે રિકવર થઈ ચૂક્યા છે
પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના મામલે નવી અપડેટ આપતા કહ્યું હતું કે દેશમાં 92 ટકા દર્દીઓ છે તે રિકવર થઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 1.3 ટકા દર્દીઓની મોત થયા છે, અને લગભગ 6 ટકા કેસ એવા પણ છે કે જે નવા છે અને હાલમાં જ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાંથી 58 ટકા કેસ
કોવિડ મામલે વધુ જાણકારી આપતા આરોગ્ય સચિવે કહ્યું હતું કે કોરોનાના કુલ કેસોના લગભગ 58 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી જ છે, કોરોનાથી મોતના મામલે પણ મહારાષ્ટ્ર જ (34%) સૌથી આગળ છે. વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અઠવાડિક સંક્રમણ દર પણ વધીને હવે 24 ટકા થઈ ગઈ છે, જે ચિંતાનો વિષય છે, મહત્વનું છે કે આની પહેલા આ રેટ ફેબ્રુઆરીમાં 6 ટકાએ પહોંચી ગયો હતો.
રસીના કુલ; 43 લાખ ડોઝ આપવામાં આવ્યા
દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને માહિતી આપતા કેન્દ્રીય સચિવે કહ્યું હતું કે ભારતમાં ગઈ કાલે રસીના કુલ; 43 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા,અને આના લીધે મંગળવાર સવાર સુધીમાં કુલ 8 કરોડ 31 લાખ લોકોનું રસીકરણ કરી શકાયું છે.
દેશના ચાર રાજ્યોમાં સૌથી વધુ પ્રભાવિત 10 જિલ્લાઓ
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે વધુમાં કહ્યું હતું કે કોરોનાથી સૌથી વહુ ખરાબ રીતે પ્રભાવિત 10 જિલ્લાઓમાં છત્તીસગઢનું દુર્ગ પણ સામેલ છે, આ સિવાય મહરાષ્ટ્રના 7, કર્ણાટકનો એક અને દિલ્હી પણ સામેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા