બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / આરોગ્ય / Consuming Raisins will be beneficial to remove anemia, rich in nutrients like iron-vitamins.
Megha
Last Updated: 04:38 PM, 9 March 2023
સામાન્ય રીતે આપણે ત્યાં કિસમિસનો ઉપયોગ ડેઝર્ટ કે મીઠાઇમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ અને વિટામિન જેવાં પોષક તત્ત્વોથી ભરપૂર કિસમિસ આરોગ્ય માટે કોઈ રામબાણ ઇલાજથી ઊતરતી નથી. આજે જાણીએ કે કિસમિસ ખરેખર કેટલી ફાયદાકારક છે અને તેનું સેવન ઘણી બીમારીઓ પણ દૂર કરી શકે છે.
કિસમિસ કેવી રીતે ખાવી જોઈએ?:
આ માટે એક ગ્લાસ પાણીમાં ૮થી ૧૦ કિસમિસ પલાળીને રાતે મૂકી દો. સવારે સારી રીતે નિચોવીને તે કિસમિસને ખાઇ લો અને પાણી પી લો. પાણી ન પીવું હોય તો ફેંકી દો અથવા કિસમિસને બરાબર ફેંટીને તે પાણી પી જાઓ.
લોહીની ઊણપને કરશે પૂરી:
આયર્ન ઉપરાંત કિસમિસમાં વિટામિન-બી કોમ્પ્લેક્સ પણ ઘણી માત્રામાં હોય છે. તે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદરૂપ છે. આવા સંજોગોમાં નિયમિત તેનું સેવન શરીરમાં લોહીની ઊણપ થવા દેતું નથી.
ડાયાબિટીસમાં પણ છે ફાયદાકારક:
કિસમિસમાં નેચરલ શુગર હોય છે. આવા સંજોગોમાં ડાયાબિટીસના દર્દીઓ બેફિકર થઇ તેનું સેવન કરે છે.
લિવર ડિટોક્સ માટે બેસ્ટ:
કિસમિસ શરીરમાંથી અને લિવરમાંથી ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે અને રોજ કિસમિસનું પાણી પીવાથી લિવર સ્વસ્થ રહે છે.
પાચનશક્તિ બનાવશે મજબૂત:
કિસમિસમાં ભરપૂર ફાઇબર હોય છે. તે પેટને સ્વસ્થ અને પાચનને યોગ્ય રાખે છે, સાથે-સાથે જૂની કબજિયાત પણ દૂર થાય છે.
ઇમ્યુનિટી પાવર વધારે:
કોરોનાકાળમાં ઇમ્યુનિટી વધારવા માટે કિસમિસ અસરકારક અને સસ્તો નુસખો છે, તેનાથી તમે બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનથી બચી શકશો.
હાઇપરટેન્શનને દૂર ભગાવશે:
પોટેશિયમથી ભરપૂર હોવાના કારણે કિસમિસ હાઇપરટેન્શનના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, તેનાથી હાઇ બીપી પણ કંટ્રોલમાં રહે છે.
સ્ટ્રેસ-ડિપ્રેશનમાં પણ અસરકારક:
ડિપ્રેશનનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ છે. જો તમે વધુ સમય સુધી સ્ટ્રેસમાં રહો તો તમને ડિપ્રેશન આવી શકે છે. રોજ કિસમિસનું સેવન કરશો તો તમે તણાવથી દૂર રહી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા