બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Hiralal
Last Updated: 05:45 PM, 6 April 2024
લોકસભા ચૂંટણીમાં વળી પાછો એક રોચક કિસ્સો સામે આવ્યો છે. પત્ની કોંગ્રેસની ધારાસભ્ય છે તો પતિ બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. બન્ને પાર્ટીઓની વિચારધારા અલગ અલગ હોવાથી મતભેદો સર્જાઈ શકે છે તેથી પતિ ઘર છોડીને ચાલ્યો ગયો છે અને કહ્યું કે હવે તે 19 એપ્રિલ મતદાન પૂર્ણ થયા બાદ ઘેર પાછો ફરશે.
બાલાઘાટના બસપાના ઉમેદવારે ઘર છોડ્યું
મધ્ય પ્રદેશના બાલાઘાટથી બસપાના લોકસભા ઉમેદવાર કાંકર મુંજારેએ શનિવારે કહ્યું હતું કે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન જુદી જુદી વિચારધારાઓ ધરાવતા બે વ્યક્તિઓએ એક છત નીચે ન રહેવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ કાંકર મુંજરેએ કહ્યું કે તેઓ 19 એપ્રિલે મતદાનના દિવસ બાદ ઘેર પાછા આવશે.
સાથે રહીએ તો લોકો વિચારે કે મેચ ફિક્સિંગ છે
કાંકર મુંજારેએ એવું કહ્યું કે મેં મારુ ઘર છોડી દીધું છે અને ડેમ નજીક એક ઝૂંપડીમાં રહું છું. તેમણે જણાવ્યું હતું કે, "જો જુદી જુદી વિચારધારાઓને અનુસરતા બે વ્યક્તિઓ એક જ છત હેઠળ રહે છે, તો લોકો વિચારશે કે તે મેચ ફિક્સિંગ છે.
પત્ની બોલી-મારી પાર્ટીના ઉમેદવારને જીતાડવા કરી મહેનત
નવેમ્બર 2023ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની પત્ની અનુભા મુંજરેએ ભાજપના હેવીવેઇટ ગૌરીશંકર બિસેનને હરાવ્યાં હતા. તેમણે કહ્યું કે તેના પતિના વલણથી દુ:ખી છે અને દાવો કર્યો છે કે એક મહિલા મૃત્યુ સુધી પતિના ઘેર રહેવા જતી હોય છે. અમારા લગ્નને 33 વર્ષ થયા છે અને અમે અમારા પુત્ર સાથે ખુશીથી રહીએ છીએ. અનુભા મુંજારેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના વફાદાર કાર્યકર છે અને બાલાઘાટથી પાર્ટીના ઉમેદવાર સમ્રાટ સારસ્વત લોકસભાની ચૂંટણી જીતે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરશે. પરંતુ પ્રચાર દરમિયાન પતિ વિરૃદ્ધ એક શબ્દ પણ નહીં બોલે
કંકર મુજારેએ પત્નીને ઘર છોડવાનું કહ્યું હતું
બસપા ઉમેદવાર કંકર મુજારાએ પત્ની અનુભાને ઘર છોડવાનું કહ્યું હતું કે પરંતુ અનુભાએ ઘર છોડવાનો ઈન્કાર કરતાં એવું કહ્યું કે પુત્રી પિયરેથી જાય છે અને સાસરિયામાંથી અર્થી ઉઠે છે. આ પછી કંકરને લાગ્યું કે તેમનું ઘર છોડવું વધારે સારું છે અને તેઓ ઘર છોડીને ચાલ્યાં ગયા અને ડેમ પર ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા