બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / BJP may launch Kumar Vishwas campaign against Kejriwal in Gujarat Assembly elections
Vishnu
Last Updated: 05:06 PM, 2 May 2022
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમનને લઈને રાજ્યભરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. તેવા સંજોગો વચ્ચે આમ આદમી પાર્ટીની સ્થાપનામાં મહત્વનો રોલ અદા કરનાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક સમયના અતિ નિકટના સાથી ગણાતા કુમાર વિશ્વાસ હાલ ભાજપની પડખે હોય તેવુ જણાઈ રહ્યું છે.આગામી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ સામે ભાજપ કુમાર વિશ્વાસને ચૂંટણી પ્રચાર અર્થે મેદાને ઉતારી શકે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
કેજરીવાલની લોક ચાહના ખાળવા ખેલ
અટકળોની રમત ગણાતા રાજકારણમાં બધુ જ શક્ય છે. ત્યારે અરવિંદ કેજરીવાલના ખૂબ જ નજીક રહેતા કુમાર વિશ્વાસ હવે ભાજપના વિશ્વાસમાં હોય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે અને ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કુમાર વિશ્વાસ ચૂંટણી પ્રચાર કરે તવી શક્યતા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી, પંજાબ બાદ ગુજરાતમાં પણ આપ અને અરવિંદ કેજરીવાલની લોક ચાહનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ અસરને ખાળવા માટે ભાજપ દ્વારા ખેલ પડી દઈ આ પ્રકારની વ્યુહ રચના ઘડી કાઢવામાં આવી હોવાનું જણાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઈતિહાસ બનાવવા માંગે છે અને 150થી વધારે બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે મચી પડી છે. જે આ મુકામ હાંસલ કરવા કોઈ પણ દાવ પેચ ખેલે તો નવાઈ નહિ! તેવી અટકળો વહેતી થઈ છે.
ગુજરાતમાં કુમાર VS કેજરીવાલ?
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત અપને, અપને રામ પર કુમાર વિશ્વાસે વ્યાખ્યાન આપ્યું હતું.એટલું જ નહિ કુમાર વિશ્વાસે અગાઉ અરવિંદ કેજરીવાલને ખાલિસ્તાની સમર્થક પણ ગણાવ્યા હતા. આ ઉપરાંત પંજાબમાં આપની સરકાર સત્તા પર આવ્યા કુમાર વિશ્વાસ સામે રૂપનગર પોલીસ મથકમાં કેસ થયો હતો. જે બાદ કુમારને આપ પરથી વિશ્વાસ ઊઠી ગયો હોય તેવા વરતારા છે. એક તરફ આપથી ઘણા સમયથી છેડો ફાડી ચૂકેલા કુમાર વિશ્વાસની ભાજપ સાથે નિકટતા વર્તાઇ રહી છે. જેનો સીધો મતલબ એ છે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કેજરીવાલના વધતા પ્રભુત્વને ખાળવા કુમારને હાથો બનાવી ભાજપ આપનો ખેલ ઉધો પાડી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા