બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 11:29 AM, 11 November 2023
Chhoti Diwali Upay: દિવાળીએ હિન્દુ ધર્મમાં વર્ષનો સૌથી મોટો તહેવાર માનાવમાં આવે છે. આ પાંચ દિવસીય તહેવાર ધનતેરસથી એટલે કે, ગઈકાલથી શરૂ થાય છે અને ભાઈ બીજના દિવસે સમાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે આજે 11 નવેમ્બરે દેશભરમાં નાની દિવાળી અથવા નરક ચતુર્દશીનો તહેવાર મનાવવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે દીપકનું દાન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને મૃત્યુના દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં નાની દિવાળીની રાત્રે કેટલાક જ્યોતિષીય ઉપાયો સમજાવવામાં આવ્યા છે. આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના જીવનમાંથી પરેશાનીઓ, સમસ્યાઓ વગેરે દૂર થઈ જાય છે. આ ઉપાયોને અનુસરવાથી વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જાણો આ ઉપાયો વિશે.
1. આજે 11મી નવેમ્બરે દેશભરમાં નાની દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે કેટલાક સરળ ઉપાયો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ લાવશે. નાની દિવાળી પર સવારે તેલ માલિશ કર્યા પછી સ્નાન કરો એવું માનવામાં આવે છે કે તેલમાં માતા લક્ષ્મીનો વાસ છે. આવી સ્થિતિમાં આ દિવસે સ્નાન અને તેલ માલિશ કરવાથી ફાયદો થાય છે. તેનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.
2. નાની દિવાળીની રાત્રે યમનો દીવો પ્રગટાવવામાં આવે છે. દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે. જેનાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. ખાસ એ વાત એ છે કે, દીવો પ્રગટાવ્યા પછી તેને બુઝાવવો જોઈએ નહીં. આ દિવસે યમની પૂજા કરવાથી વ્યક્તિને નરકમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે આ દિવસે સાચા મનથી યમરાજની પૂજા કરવાથી વ્યક્તિને નરકમાંથી મુક્તિ મળે છે.
3. નાની દિવાળીને કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી આ દિવસે માતા કાળીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. જેનાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે દેવી કાલીનું પૂજન કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
4. જો તમે ધનતેરસ પર ઘરની સફાઈ ન કરી હોય તો નાની દિવાળીના દિવસે ઘરમાંથી જૂની વસ્તુઓ, ફાટેલા કપડા, નકામા ચંપલ દૂર કરી શકો છો. જો ઘરમાં કોઈ જગ્યાએ અંધારું હોય તો આજે જ ત્યાં અજવાળું કરો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં ધનની કમી દૂર થાય છે.
5. નરક ચતુર્દશીના દિવસે રોલી, ગુલાબના ફૂલ અને લાલ ચંદનની પૂજા કરો અને તેને લાલ રંગના કપડાથી બાંધો. આ પછી તેમને ઘરની તિજોરીમાં રાખો. જેનાથી બિનજરૂરી પૈસા ખર્ચાતા નથી અને ઘરમાં પૈસાની આવક થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા