બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Pravin Joshi
Last Updated: 08:00 PM, 29 March 2023
ભોજપુરી ફિલ્મ અભિનેત્રી આકાંક્ષા દુબેના મૃત્યુ કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. અભિનેત્રીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. એડિશનલ પોલીસ કમિશનર સંતોષ સિંહના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આકાંક્ષાનું મોત ફાંસી લગાવવાને કારણે થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે આકાંક્ષાએ વારાણસીની એક હોટલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સમાચાર મળ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. હવે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં હત્યાની કોઈ શંકા વ્યક્ત કરવામાં આવી નથી.
પોલીસે સમર સિંહના હાથ હોવાની શંકા વ્યક્ત કરી
પોલીસે જણાવ્યું કે અભિનેત્રીનું મોત ફાંસના કારણે થયું છે. તેના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા ન હતા.આકાંક્ષા અને સમર લિવ-ઈનમાં હતા, જોકે પોલીસે સમર સિંહના હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આકાંક્ષા દુબે અને ભોજપુરી ગાયક સમર સિંહ લિવ-ઈન રિલેશનશિપમાં હતા. વારાણસીના તક્તકપુર વિસ્તારમાં આવેલા સમર સિંહના ઘરમાં બંને સાથે રહેતા હતા. પોલીસે શક્યતા વ્યક્ત કરી હતી કે કોઈ કારણસર બંનેનું બ્રેકઅપ થયું હશે. જેના કારણે આકાંક્ષા ડિપ્રેશનમાં આવી ગઈ હશે અને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હશે.
ઘટનાની રાત્રે આકાંક્ષા સમર સિંહ સાથે પાર્ટીમાં ભાગ લેવા ગઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર સમરના કારણે આકાંક્ષા પર માનસિક દબાણ હોવું જોઈએ. આરોપી સમર સિંહ અને સંજય સિંહની ધરપકડ કરવા પોલીસની ઘણી ટીમો નીકળી છે. પોલીસ અધિકારી સંતોષ સિંહે જણાવ્યું કે ઘટનાની રાત્રે આકાંક્ષા સમર સિંહ સાથે પાર્ટીમાં ભાગ લેવા ગઈ હતી. પરંતુ તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે એક વ્યક્તિ આકાંક્ષાને હોટેલમાં લગભગ 2:00 વાગ્યે મૂકવા આવ્યો હતો, જે તેની સાથે 17 મિનિટ સુધી હતો. તે વ્યક્તિ કોણ હતો, તે શા માટે આવ્યો હતો તેના વિશે કોઈ માહિતી મળી નથી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વ્યક્તિની કોઈ ભૂમિકા નથી. તે આકાંક્ષાને છોડવા જ આવ્યો હતો.
અભિનેત્રીની માતાએ લગાવ્યા આરોપ
પોલીસે જણાવ્યું કે હાલ માત્ર 2 આરોપી સંજય સિંહ અને સમર સિંહ સામે આવ્યા છે, જેમની ટીમ દ્વારા શોધ કરવામાં આવી રહી છે. માતાએ આરોપ લગાવ્યો હતો કે આકાંક્ષા દુબેનું મોત રવિવારે સવારે સારનાથમાં હોટલ સોમેન્દ્ર રેસિડેન્સીના રૂમ નંબર 105માં થયું હતું. આકાંક્ષાનો મૃતદેહ તેના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈથી પરત ફરેલી આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ તેને આત્મહત્યા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને હત્યાનો આરોપ ભોજપુરી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર મૂક્યો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા