બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Gayatri
Last Updated: 03:24 PM, 15 April 2021
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહ્યુ છે રોજના કેસ અને મોતના આંકડા જોઈએ તો તે જોઈને ખરેખર ચિંતાજનક સ્થિતિ હોવાનો ચિતાર મળી રહ્યો છે ત્યારે અમદાવાદ નર્સિંગહોમના સેક્રેટરીનું લોકડાઉન અંગે મોટુ નિવેદન સામે આવ્યુ હતુ.
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમના સેક્રેટરી નું મહત્વનું નિવેદન સામે આવ્યુ છે. સેક્રેટરી વીરેન શાહે સ્વૈચ્છીક લોકડાઉનની અપીલ કરી છે. કોરોના સંક્રમણ વધતા 15 દિવસના સ્વૈચ્છીક લોકડાઉનની જરૂર છે. હોસ્પિટલમાં કોરોનાની ખાલી પથારીઓ ખૂબ ઓછી છે. સંક્રમણ અટકાવવા માટે લોકો સ્વયં લોકડાઉન નું પાલન કરે તો સારૂ.
"કોરોના સંક્રમણ વધતા 15 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જરૂર"
વીરેન શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, જીવનજરૂરીયા વસ્તુઓ લેવા રોજે રોજ બહાર જવા કરતા 3 કે 4 દિવસે બહાર નીકળો. કારણ વગર ઘરની બહાર ન નીકળો. ધાર્મિક અને રાજકીય આયોજનો ટાળવામાં આવે છે. 10-15 દિવસમાં ઉદ્યોગ-ધંધા બંધ નહીં થઈ જાય. જે લોકોને અત્યંત જરૂર હોય એજ લોકો બહાર નીકળે. ઓક્સિજન ની ઉણપ અને જરૂરિયાત વાળા લોકોને બેડ નથી મળતા.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 7,410 કેસ નોંધાયા છે અને 2642 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 32,3371 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 73 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4995 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 254 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 39,250 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 2491 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1424 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 231 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 317 કેસ, જ્યારે ગ્રામ્યમાં 135 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 551 કેસ અને ગ્રામ્યમાં 102 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
ગુજરાતમાં છેલ્લા 10 દિવસના કેસ?
ક્યારે કેટલા કેસ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા