બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Parth
Last Updated: 09:56 PM, 7 May 2021
ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે.
900માંથી માત્ર 558 બેડ શરૂ કરવામાં આવ્યા
કોરોના વાયરસ સામે દર્દીઓને સુવિધા મળી રહે તે માટે અમદાવાદમાં 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હૉલમાં આ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે જેની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવી હતી. પરંતુ આ હોસ્પિટલમાં બેડને લઈને મોટી અસમંજસની સ્થિતિ ઊભી થઈ રહી છે.
બાકીના 342 બેડ અંગે કોઇ સ્પષ્ટતા નહીં
900 બેડની હોસ્પિટલમાં માત્ર 558 બેડ જ શરૂ કરવામાં આવ્યા છે અને 342 બેડનો કોઈ અતોપતો નથી. સતત પાંચ દિવસથી આ હોસ્પિટલની બહાર માત્ર 558 બેડની સ્થિતિ દર્શાવવામાં આવી છે હાલમાં કોઈ પણ બેડ ખાલી નથી તેવું દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે સવાલ ઊભો થાય કે જૉ 558 બેડમાં જ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હોય તો 900 બેડની હોસ્પિટલ છે તેવી જાહેરાત કેમ કરવામાં આવી? બાકીના 342 બેડની વ્યવસ્થા કોણ કરશે? દર્દીઓ અમદાવાદમાં સારવાર માટે વલખાં મારી રહ્યા છે તથા દર્દીઓના પરિજનો બેડ માટે દોડધામ કરતાં નજરે પડે છે ત્યારે તંત્ર કઈ વસ્તુના ઢાંકપિછોડા કરી રહ્યું છે?
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર બે ICU બેડ જ ખાલી
બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરથી ભારણ ઓછું જ નથી થઈ રહ્યું. સમાચાર લખાઈ રહ્યા છે તે સમયે શહેરમાં સતત વધતાં કેસની વચ્ચે સિવિલ માત્ર 2 જ ICU બેડ ખાલી છે જ્યારે ખાલી ઑક્સીજન બેડની સંખ્યા 11 છે. સિવિલમાં 1510 ઑક્સીજન બેડ ફૂલ થઈ ગયા છે જ્યારે નોન ઓક્સિજનમાં 404 બેડમાંથી 91 બેડ ખાલી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા