બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Civil Hospital Superintendent Dr Rajnish Patel statement ambulance line
Hiren
Last Updated: 02:00 PM, 23 April 2021
અમદાવાદમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ બહાર 60 એમ્બ્યુલન્સની લાઇન લાગી છે. સિવિલ કેમ્પસ ભરાઈ જતા 108 કેમ્પસની બહાર લાઇન લગાવી છે. હાલ અમદાવાદના લોકોની ખૂબ જ ખરાબ હાલત છે. ત્યારે એમ્બ્યુલન્સની લાઈનો અંગે સિવિલ હોસ્પિટલના એડી.સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, એમ્બ્યુલનસ લાઈન વધી રહી છે તે અમારા માટે મોટો વિષય છે. એમ્બ્યુલન્સમાં ઓરેન્જ-ગ્રીન ફ્લેગ શરૂ કરાયા છે. બહાર ઉભી રહેલ એમ્બ્યુલન્સમાં ડોક્ટર પ્રાથમિક તપાસ કરે છે. ગંભીર દર્દીવાળી એમ્બ્યુલન્સને ઓરેન્જ ફ્લેગ સાથે આગળ જવા માટે સૂચના અપાય છે.
108 દ્વારા તમામ દર્દીઓને સિવિલમાં મોકલવામાં રહ્યા છેઃ ડૉ. રજનીશ પટેલ
તો AMC અને SVPને ડો.રજનીશ પટેલનો સણસણતો જવાબ આપ્યો હતો. ડૉ. રજનીશ પટેલે કહ્યું કે, આ મારું તારું કરવાનો સમય નથી. 108 દ્વારા તમામ દર્દીઓને સિવિલમાં મોકલવામાં રહ્યા છે. જો SVP માં મોકલવામાં આવે તો આવી જ લાઈનો SVP માં પણ જોવા મળશે. આ સમય મારુ-તારું કરવાનો નથી સેવા અપવાનો છે. અમને લાઈનો જોઈ દુઃખ છે પરંતુ શું કરીએ. સિવિલ દ્વારા ઓન કોલ અમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરાઇ છે.
દર્દીઓને 10 કલાકના વેઈટિંગ બાદ પણ વારો નથી આવતો
મહત્વનું છે કે, અમદાવાદ સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. દર્દીઓને 10 કલાકના વેઈટિંગ બાદ પણ વારો નથી આવતો. રાત્રે 2 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લાઈનમાં છતાં નંબર નથી આવતો. કોર્પોરેશનના અધિકારીઓની વાહવાહી વચ્ચે લોકોની પીડા યથાવત્ છે. મનપા દ્વારા નવી હોસ્પિટલો ઉભી કરાઈ છતા લાઈનોઓછી થતી નથી. હોસ્પિટલ અને બેડ વધારવાની વાતો માત્ર કાગળ ઉપર છે.
AMCને VTVના સવાલ
ત્યારે કેટલાક સવાલ થાય છે કે ખરેખર હોસ્પિટલોમાં બેડ વધી રહ્યા છે તો સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો કેમ ઓછી નથી થતી? કોર્પોરેશનના અધિકારીઓ ક્યારે પોતાની વાહવાહી કરવાનું બંધ કરી ખરેખર ક્યારે કામ કરશે ? સિવિલ હોસ્પિટલમાં લાગેલી એમ્બ્યુલન્સની લાઈનો અધિકારીઓની વાહવાહીની પોલ ખોલી રહી છે. સારવાર લેવા માટે લોકોના વલખા આજે પણ યથાવત છે. આ દર્દીઓની વેદના જોઈને પણ કોર્પોરેશનના અધિકારીઓના દિલ કેમ નથી પીગળી રહ્યા. પોતાને સર્વોપરી માનનારા અધિકારીઓમાં કેમ હવે માનવતા રહી નથી ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા