બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Malay
Last Updated: 02:19 PM, 19 February 2023
સુરત શહેરમાં એક અત્યંત દુઃખદ પ્રસંગ બન્યો છે. શહેરના ગોડાદરા બ્રિજ પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા યુવકનું મોત નીપજ્યું છે. 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી જતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. લગ્ન ત્રણ દિવસ પહેલાં યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ટ્રકે અડફેટે લેતા યુવકનું મોત
મળતી માહિતી અનુસાર, સુરતની ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રદાન ચારણના 22મી ફેબ્રુઆરીએ લગ્ન હોવાતી તેઓ શુક્રવારે સંબંધીઓને લગ્નની કંકોત્રી આપવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ગોડાદરા ફ્લાય ઓવરબ્રિજ પાસે સિમેન્ટ ભરેલા ટ્રકે યુવકને ટક્કર મારી હતી. જે બાદ તેઓને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ જીતેન્દ્રદાન ચારણ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
જાનની જગ્યાએ ઘરેથી અંતિમયાત્રા નીકળી
લગ્ન પ્રસંગમાં યુવકના નિધનથી પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે. જ્યાં ત્રણ દિવસ બાદ લગ્નના મંગલ ગીતો ગવાતા હતા ત્યા હવે મરશીયા ગાવાનો સમય આવી ગયો છે. વરરાજાની જાન જવાને બદલે વરરાજાની અર્થી ઉઠી છે. વરરાજા જીતેન્દ્રદાન ચારણનું ટ્રેકની અડફેટે મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ આ મામલે પુણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓલપાડના સાયણ ઓવરબ્રિજ પર સર્જાયો હતો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ ઓલપાડના સાયણ ઓવરબ્રિજ પર અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક કિશોર રાઠોડ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે, અકસ્માત બાદ ટ્રક મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ ઓલપાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા