બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 11th standard student killed after kidnapping on Dhola day in Jamnagar
Priyakant
Last Updated: 03:39 PM, 1 December 2023
Jamnagar Murder News : જામનગરમાં સગીરનું અપહરણ કરાયા બાદ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, ધોળા દિવસે 11માં ધોરણના વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કર્યા બાદ તેની કરપીણ હત્યા કરી દેવાઈ છે. પહેલા આ વિદ્યાર્થીના અપહરણને લઈ અફરાતફરીના માહોલ વચ્ચે પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે CCTV કેમેરા ચેક કર્યા બાદ આરોપીઓને ઝડપી પાડવા કવાયત કરી હતી. જે બાદમાં એક અવાવરુ જગ્યાએથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિજનો ભાંગી પડ્યા હતા. આ તરફ હવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Jamnagar News: જામનગરમાં સગીરનું અપહરણ કરાયા બાદ હત્યા કરાતાં ખળભળાટ | VTV GUJARATI
— ~ अभिमन्यु ~ ( VTV NEWS ) (@soulofnovemberr) December 1, 2023
#jamnagar #jamnagarnews #gujarat #gujaratinews #vtvgujarati pic.twitter.com/1cI745KbN2
શું છે સમગ્ર મામલો ?
જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર 15માં બ્લોક નંબર 302માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયાના 17 વર્ષના પુત્રનું અપહરણ કરાયું હતું. વિગતો મુજબ ગઈકાલે બપોરે 01:00 વાગ્યે 11માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈનો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો. જે બાદમાં આ વિદ્યાર્થી એકાએક લાપતા બન્યો હતો.
પોલીસે તપાસ્યા CCTV અને પછી....
આ તરફ પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો કોઈ પતો નહીં લગતા આખરે સીટી એ. ડિવિઝન નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો. આ તરફ પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જ્યાં મોહન નગર આવાસના બિલ્ડીંગના CCTV કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
અવાવરૂ જગ્યા પાસેથી મૃતદેહ મળ્યો
આ તરફ CCTV આધારે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.અંતે બાળકને અપહરણ કરી જનારના ફૂટેજના આધારે તેમની ઓળખ મેળવી લીધી હતી અને અપહરણ કરનાર અને બાળકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન સુવરડા ગામ નજીક આવેલ અવાવરૂ જગ્યા પાસેથી મૃતદેહ મળ્યો હતો. ઘટનાને લઈ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા