લશ્કર-એ-તોયબાના ઓપરેશન કમાન્ડર આતંકી ઝકીઉર રહમાન લખનવીને પાકિસ્તાનમાં 15 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. ટેરર ફંડિંગ સાથે જોડાયેલ મામલામાં થોડા સમય પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનની કાર્યવાહી
ઝકીઉર રહમાન લખનવીને ફટકારી 15 વર્ષની સજા
2008માં મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ છે લખનવી
ત્યારે શુક્રવારે લાહોરની એન્ટી ટેરરિઝમ કોર્ટે સજાનું એલાન કર્યું છે. જણાવી દઇએ કે, 2008માં મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ પણ હતો.
26/11 ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું
ઝાકીઉર રેહમાન લખવીની આતંકવાદીઓને મદદ કરવા અને તેમને નાણાં પૂરા પાડતા ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, કે ઝાકીઉર રેહમાન લખવીએ હાફિઝ સઇદ સાથે મળીને 26/11 ના હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર લખવીને મુંબઈ હુમલા બાદ વર્ષ 2008 માં યુએનએસસીના ઠરાવ હેઠળ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે નામ આપવામાં આવ્યું હતું. મુંબઇ હુમલાની તપાસ દરમિયાન ખુલાસો થયો કે તે લખવીએ જ હાફિઝ સઈદને આતંકી હુમલાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી.
મુંબઇ હુમલામાં 300 જેટલા લોકો થયાં હતા ઘાયલ
આ હુમલામાં, પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કરના 10 ભારે સશસ્ત્ર આતંકવાદીઓએ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લશ્કરના ઓપરેશન કમાન્ડર લખવીને લગભગ છ વર્ષના કસ્ટડીમાં રાખ્યા બાદ એપ્રિલ 2015 માં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.