યુવરાજસિંહ જાડેજાએ વનરક્ષ પરીક્ષા મુદ્દે ઉઠાવેલા સવાલોના મુદ્દે સોશિયલ મીડિયા પર યુવરાજસિંહ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર યુવરાજસિંહ સામે રોષ
ચૌધરી સમાજના યુવાનો અને આગેવાનોમાં રોષ
વિરોધ વધતા યુવરાજસિંહે ચૌધરી સમાજની માફી માગી
સોશિયલ મીડિયા પર યુવરાજસિંહ સામે રોષ
યુવરાજસિંહ જાડેજાએ વનરક્ષક પરીક્ષા મુદ્દે ટ્વિટ કરીને સવાલ ઉઠાવ્યા હતાં. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ વનરક્ષકની પરીક્ષામાં મોટી ગેરરીતિ થઈ છે.પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓનું એક સરખું મેરિટ કેવી રીતે આવી શકે ? યુવરાજસિંહના ટ્વીટમાં ચૌધરી સમાજને ટાર્ગેટ કરાયો છે. મહત્વનું છે કે, આ ટ્વિટમાં યુવરાજસિંહ જાડેજાએ માત્ર ચૌધરી સમાજના વિદ્યાર્થીઓ પર કર્યું કલરમાર્ક કર્યો હતો. જેને લઈને ચૌધરી સમાજ દ્વારા નારાજગી દર્શાવાઈ છે. જો કે, વિરોધ બાદ યુવરાજસિંહે ચૌધરી સમાજની માફી માગી હતી
વિરોધ વધતા યુવરાજસિંહે ચૌધરી સમાજની માફી માગી
જેને લઈને સોશિયલ મીડિયા પર ચૌધરી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, યુવરાજસિંહ કરેલા ટ્વિટમાં માત્ર ચૌધરી સમાજને ટાર્ગેટ કર્યો છે.આ સાથે તેઓએ જણાવ્યું કે,યુવરાજસિંહની ટ્વિટ બાદ તેમની મનછા પર સવાલ ઉદ્દભવે છે.શું યુવરાજસિંહને કોઇએ ચોક્કસ સમાજનો વિરોધ કરવા સોપારી આપી છે? આમ યુવરાજસિંહના ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર યુવરાજસિંહ સામે રોષ જોવા મળ્યો છે.મહત્વનું છે કે, આ મામલે ચૌધરી સમાજના યુવાઓ અને આગેવાનો દ્વારા આ મામલે નારાજગી વ્યક્ત કરાઈ છે.મહત્વનું છે કે,અગાઉ પણ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે ચૌધરી સમાજ પર આક્ષેપ લગાવ્યો હતો