ટિમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો પરિવાર હવે એક મોટી મુશ્કેલીમાં ફસાતો નજરે પડી રહ્યો છે. પત્ની દ્વારા લગાવવામાં આવેલા ઘરેલું હિંસાના આરોપોનો સામનો કરી રહેલા યુવરાજ સિંહના નાનાભાઈ જોરાવર સિંહને પંજાબ હરિયાણા હાઈકોર્ટે તરફથી ઝટકો મળ્યો છે.
જણાવી દઈએ કે જોરાવર સિંહની પત્નિએ ઘરેલુ હિંસાથી મહિલાઓની સુરક્ષાના કાયદો (2005) અંતરગત ગુડગામમાં પોતાના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. આ કેસ ઘણા સમયથી જોરાવારના ગળાની ફાંસ બન્યો છે. એટલું જ નહિં જોરાવરની પત્નીએ પોતાના સાસરી પક્ષ સામે પણ ઘણા આરોપો કર્યા છે.
જોરાવર ઈચ્છતો હતો કે આ મામલે ઝડપથી કોઈ સારો નિર્ણય આવે અને તેમને આનાથી મુક્તિ મળે. માટે તેમણે થોડા સમય પહેલા આ કેસને ગુડગાંવથી ચંદીગઢ શિફ્ટ કરવાની વાત કરી હતી. આ મામલે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યુ કે બંન્ને પક્ષો પર ચંદીગઢની કોર્ટમાં પહેલાથી જ ત્રણ કેસ ચાલી રહ્યા છે. એવામાં ગુડગાંવમાં ચાલી રહેલા અન્ય બે મામલાઓને ગુડગાંવથી ચંદીગઢ શિફ્ટ ન કરી શકાય.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટર યુવરાજ સિંહના નાના ભાઈ જોરાવર અને તેમની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે એવામાં યુવરાજ અને તેમની માતા શબનમ સિંહે કોર્ટમાં માંગ કરી હતી કે મીડિયાને વિવાદની કવરેજ કરતા રોકવામાં આવે જેનાથી તેમનો પરિવાર બદનામીથી બચે.
આ મામલે ક્રિકેટર યુવરાજ સિંહે ત્રણ વર્ષ પહેલા જૂન 2015માં અરજી કરી હતી. ત્યારથી અત્યારસુધીમાં 19 સુનાવણીઓ થઈ પરંતુ હાઈકોર્ટે કોઈ પક્ષને નોટિસ જાહેર કરી નહોતી.