કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરવાની મંજૂરી માગણી વાળી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમે આંદલનકારી ખેડૂતો પર ફિટકાર વરસાવી હતી.
વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ અન્યની સંપિત્તિનો નાશ કરી નહી
શું નાગરિકોને કોઈ અધિકાર નથી ? સુપ્રીમે ખેડૂતોની ઝાટકણી કાઢી
અરજીમાં જંતર -મંતર પર સત્યાગ્રહની પરવાનગી માંગી હતી
વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ અન્યની સંપિત્તિનો નાશ કરી નહી
કોર્ટે ખેડૂતોના રસ્તા પરના આંદોલનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ન્યાયાલયે કર્યું કે, તમને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ બીજાની સંપત્તિનો નાશ કરીને કે નુકસાની પહોંચાડીને નહીં. એક તરફ તમે જે સમગ્ર શહેરનું ગળું દબાવ્યું છે અને અદાલત પાસે શહેરમાં ધરણા કરવાની માગ કરી રહ્યા છો. લોકોના પણ અધિકારો છે, શું તમે ન્યાયિક વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યા છો? તમે હાઈવે જામ કરો છો અને પાછા એમ કહો છો કે, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છો.
શું નાગરિકોને કોઈ અધિકાર નથી ? સુપ્રીમે ખેડૂતોની ઝાટકણી કાઢી
જંતર-મંતર પર ધરણાની મંજૂરીની માંગણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું શહેરના લોકો પોતાનો વ્યવસાય બંધ કરે ? શું લોકો શહેરમાં ધરણા થવાથી ખુશ થશે?વડી અદાલતે કહ્યું કે, તમે સુરક્ષા કર્મીને પણ પરેશાન કરી રહ્યા છો. નાગરિકોને પણ જીવવાનો અધિકાર છે. એકવાર કોર્ટમાં જવાનું નક્કી કરી જ લીધું છે તો પણ શું વિરોધ કરવો જરૂરી છે?
અરજીમાં કિસાન મહાપંચાયતે જંતર -મંતર પર સત્યાગ્રહની પરવાનગી માંગી હતી
ખેડૂતોના વકીલ અજય ચૌધરીએ સર્વોચ્ચ અદાલતમાં કહ્યું કે અમે હાઇવે બ્લોક કર્યો નથી, પોલીસે અમને ત્યાં અટકાયત કરી છે. અરજીમાં કિસાન મહાપંચાયતે દિલ્હીના જંતર -મંતર પર સત્યાગ્રહની પરવાનગી માંગી છે. જેમાં કેન્દ્ર, એલજી અને દિલ્હી પોલીસને 200 ખેડૂતોના અનિશ્ચિત સત્યાગ્રહને મંજૂરી આપવા આદેશ આપવાની માંગ કરવામાં આવી છે.