શિવ જી ની પૂજામાં શિવલિંગનું સર્વાધિક મહત્વન છે. હિંદુ ધર્મમાં ઘણા પ્રકારના શિવલિંગોની પૂજા કરવામાં આવે છે જેમાં સ્વયંભૂ શિવલિંગ નર્મદેશ્વર જનેઉધારી સોના અને ચાંદી અને પારદ શિવલિંગ સામેલ છે. એમાંથી નર્મદેશ્વર શિવલિંગની પૂજા સૌથી વધારે મહત્વપૂર્ણ અને ફળદાયક હોય છે. માન્યતા અનુસાર ભારતમાં એક એવી નદી છે જ્યાંથી નિકળતો દરેક પથ્થર શંકર માનવામાં આવે છે. જાણો એ પવિત્ર નદી માટે
ગ્રંથોમા નર્મદા નદીને પવિત્ર માનવામાં આવે છે કહેવામાં આવે છે કે ગંગામાં ન્હાવાથી જે ફળ મળે છે એ ફળ નર્મદા નદીમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. પુરાણો અનુસાર નર્મદા નદીથી નિકળતો દરેક પથ્થર શિવલ જી નું પ્રતીક માનવામાં આવે છે. અહીંયાથી નિકળતા પથ્થરને શિવલિંગના રૂપમાં સ્થાપિત કરવામાં આવે છે. નર્મદાથી નિકળતા શિવલિંગોને નર્મદેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે.
કહેવાય છે કે નર્મદા નદીને શિવના વરદાનના કારણે એનાથી પ્રાપ્ત થતા શિવલિંગને પવિત્ર માનવામાં આવે છે. અહીંયાથી નિર્મિત શિવલિંગને સીધું જ સ્થાપિત કરી શકાય છે. એના પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યક્તા થતી નથી. કહેવામાં આવે છે કે જ્યાં નર્મદેશ્વરનો વાસ હોય છે ત્યાં કાલ અને યમનો ભય રહેતો નથી. દેશભરમાં મહાદેવના મંદિરોમાં અહીંયાથી લઇ જઇને શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે.
નર્મદા નદીનો ઉલ્લેખ સ્કંદ પુરાણોમાં કરવામાં આવ્યો છે. હેરાન કરનારી વાત એ છે કે અહીંયાથી ઓમ લખેલા પણ શિવલિંગ નિકળે છે. જેને જોવા દૂરદૂરથી લોકો અહીંયા આવે છે. અહીંયાની ખાસ વાત એ છે કે નર્મદા નદી દેશની પહેલી એવી નદી છે જે પૂર્વથી પશ્વિમ તરફ ઉલ્ટી દિશામાં વહે છે.