ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર નવરાત્રિમાં ચલાવામાં આવી રહેલા અભિયાન 'મિશન શક્તિ' હેઠળ મહિલા અપરાધ સાથે જોડાયેલા કેસોમાં બે દિવસમાં 14 અભિયુક્તિઓને ફાંસી અને 20 અભિયુક્તિઓને આજીવન કેદની સજા સંભળાવામાં આવી છે. મુખ્યમંત્રીના નિર્દેશ પછી અભિયોનજ નિદેશાલયે તત્પરતા દેખાડતા અભિયુક્તોને સજા આપવાનું કામ કર્યું છે. જો કે, મુખ્યમંત્રીએ તેમાં હજુ તેજી લાવવા માટે જણાવ્યું છે.
અપર મુખ્યસચિવ (ગૃહ) અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે અપરાધીઓને સજા આપવાથી જ કાનૂનનું રાજ સ્થાપિત કરી શકાય તેમ છે. આ ક્રમમાં અભિયોજન નિદેશાલયે નક્કી કરેલા કેસોમાં કેટલાક કેસોમાં સજા કરવામાં આવી છે. જેમાં 11 મામલામાં 14 અભિયુક્તોને ફાંસીની સજા, 5 મામલામાં 11 અભિયુક્તોને આજીવન કેદ અને 8 મામલામાં 22 અભિયુક્તોને કારાવાસ તેમજ દંડની સજા સંભળાવામાં આી છે.
નિદેશાલયે 88 કેસમાં 117 એવા અભિયુક્તોની જામિન અરજી નામંજૂર કરી છે, જે મહિલા તેમજ બાળ અપરાધોમાં સામેલ હતા. આ સાથે જ બે દિવસોમાં 101 ગુંડાઓને જિલ્લામાંથી તડીપાર કરી દેવામાં આવ્યાં.
સજા આપવામાં યૂપી નંબર વન
ADG (અભિયોજન) આશુતોષ પાંડેયે જણાવ્યું કે મહિલાઓ સામેના અપરાધ કેસોમાં સજા આપવામાં ઉત્તર પ્રદેશ નંબર વન છે. એવું એટલા માટે શક્ય બન્યું કેમ કે કોર્ટમાં કેસો અંગેની સુનાવણી ઓછા સમયમાં પુર થઇ ગઇ અને અભિયોજનઆ આવા કેસો પૂર્ણ મહેનતથી લડ્યાં.
ઉલ્લેખનીય છે કે મહિલાઓ સામે વધતા અપરધાને લઇને વિપક્ષના નિશાના પર આવેલી યોગી સરકારે 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી મિશન-શક્તિ અભિયાન શરુ કર્યું છે. આ હેઠળ અપરાધિઓને સજા અને મહિલાઓમાં જાગરુક્તા કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.