યુપીના સીએમ યોગી આદિત્યનાથે લખીમપુર હિંસા મામલે પહેલી વાર પ્રતિક્રિયા આપી છે.
લખીમપુર હિંસા મામલે CM યોગીની પહેલી પ્રતિક્રિયા
લખીમપુરની બન્ને ઘટનાઓ ખોટી હતી
સીટ કેસની તટસ્થ તપાસ કરી રહી છે
રિપોર્ટ આવ્યા બાદ મંત્રી જશે-યોગી આદિત્યનાથ
એક કાર્યક્રમમાં બોલતા સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે લખીમપુરની બન્ને ઘટનાઓ ખોટી હતી અને હાલમાં સીટ આ કેસની તટસ્થ તપાસ કરી રહી છે.
લખીમપુરની બન્ને ઘટનાઓ ખોટી
સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે ખોટી હતી અને તેની તપાસ ચાલી રહી છે. સરકારે સીટની રચના કરી છે, તેનો રિપોર્ટ આવવા દો, મંત્રી પણ જશે અને લોકો પણ જશે પરંતુ કોર્ટ એવા બધાને ખુલ્લા પાડવાની જરુર છે કે આ લોકોનો ચહેરો શું છે. લખીમપુર ઘટનામાં આખી કાર્યવાહી પારદર્શી છે. સરકાર કોઈને પણ આંગળી ઉઠાવવાની તક નહીં આપે.
યુપીની કાયદો અને વ્યવસ્થા હવે ઉદાહરણ બન્યું
યોગીએ કહ્યું કે 2017 પહેલા યુપીના નાગરિકોને હોટલમાં રૃમ મળતી નહોતી, ધર્મશાળાઓમાં રહેવાની જગ્યા મળતી નહોતી. યુપીના યુવાનોને હીન નજરે જોવાતા હતા પરંતુ હવે એવું નથી. યુપીની કાયદો અને વ્યવસ્થા હવે એક દાખલો બન્યો છે.
લખીમપુરમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા
લખીમપુરમાં ખેડૂતો અને ભાજપના નેતાઓ અને કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ પર કારમાં ખેડૂતોને કચડી નાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનામાં ચાર ખેડૂતો સહિત કુલ આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બાદમાં કોંગ્રેસ, સપા સહિતના વિપક્ષી પક્ષોએ રાજ્ય સરકાર પર હુમલો કર્યો હતો અને અસરગ્રસ્ત ખેડૂતોના પરિવારોને મળ્યા હતા.