રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના યસ બેંક પર પ્રતિબંધની કાર્યવાહી બાદ ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે, સરકાર દ્વારા દરેક ખાતાધારકોને નાણા સુરક્ષિત રહેવાનો ભરોસો આપવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને કારણે કહેવામાં આવ્યું હતું કે, યસ બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. બેંકે જોખમ ભરેલા નિર્ણયો લીધા હતા.
યસ બેંક પર RBI ના પ્રતિબંધનો મામલે નાણામંત્રીનું નિવેદન
રિઝર્વ બેંકની યસ બેંકની ગતિવિધીઓ પર હતી નજર : નાણામંત્રી
વર્ષ 2017થી રિઝર્વબેંક નજર રાખી રહી હતી : નાણામંત્રી
નિર્મલા સીતારમણે કહ્યું કે, યસ બેંકે અનિલ અંબાણી, એસેલ ગ્રુપ, DHFL, વોડાફોન જેવી કંપનીઓને લોન આપી જે ડિફોલ્ટ થયેલ છે. આ તમામ મામલાઓ 2014 પહેલાના એટલે કે, યુપીએ સરકારના કાર્યકાળના છે.
નિર્મલા સીતારમણે વધુમાં કહ્યું કે, મેં આરબીઆઈને આકારણી કરવા કહ્યું છે કે બેંકમાં આ મુશ્કેલીઓનું કારણ શું છે. આ સાથે, સમસ્યા માટે વ્યક્તિગત જવાબદાર કોણ છે તેની ઓળખ કરવાનું જણાવ્યું હતું.
FM Nirmala Sitharaman on #YesBank: RBI has assured that the reconstruction plan will come into play within the moratorium period; SBI has expressed willingness to invest in Yes Bank pic.twitter.com/wY75z16FWZ
આ બેંકમાં થાપણો અને જવાબદારીઓને અસર થશે નહીં. બેંકમાં કામ કરતા લોકોને રોજગાર અને પગાર ઓછામાં ઓછા એક વર્ષ માટે સુનિશ્ચિત કરવામાં આવશે.
FM Nirmala Sitharaman on #YesBank: Our govt is committed to ensuring that depositors' interests are safeguarded. I want RBI to ensure that due process of law is set to roll with a sense of urgency so that we should find out as to who led to the problem of this size & magnitude. https://t.co/o4nrozhSvZ
નિર્મલા સીતારમણે જણાવ્યું કે, યસ બેંકના મામલાને લઇને તે મે 2019 બાદ RBIના સંપર્કમાં હતા. તો સપ્ટેમ્બર 2019થી યસ બેંક પર સેબીની નજર છે. આપને જણાવી દઇએ કે, સેબી શેરબજારને રેગ્યુલેટ કરે છે.
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, 2017 થી RBI, વાય યસ બેંક પર નજર રાખી રહી હતી. આ સાથે જ, 2018 માં, સેન્ટ્રલ બેંકે યસ બેંકમાં ગડબડને ઓળખી હતી, જ્યારે 2019 માં યસ બેંક પર 1 કરોડ રૂપિયા દંડ પણ લગાવવામાં આવ્યો હતો.
નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર એસબીઆઇએ હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. તેમણે કહ્યું કે નવું બોર્ડ રિ-સ્ટ્રક્ચરિંગ યોજના બાદ ટેકઓવર કરશે. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ યસ બેંકના ડિરેક્ટર બોર્ડને વિસર્જન કર્યું છે. ત્યારબાદ, એસબીઆઈના સીએફઓ પ્રશાંત કુમારને વહીવટની જવાબદારી સોંપવામાં આવી છે.
આ દરમિયાન, આરબીઆઈએ યસ બેન્ક માટે ફરીથી માળખાગત યોજનાની ઘોષણા કરી છે. આ યોજના આરબીઆઈની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.