કહેવાય છે કે જેની ગ્રહદશામાં રાહુ બેસી જાય તો તે વ્યક્તિનું જીવન દુઃખમાં ફેરવાઈ જાય છે. 2020ની શરૂઆતથી લઈને 23 સપ્ટેમ્બર 2020 સુધી રાહુ મિથુન રાશિમાં રહેશે. 23 સપ્ટેમ્બર 2020ના રોજ સવારે 7.38 મિનિટે રાહુની ચાલ બદલાશે. આ સમયે રાહુ મિથુનથી લઈને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ 2020માં રાહુની આ ગોચરથી દરેક રાશિ પર કેવો પ્રભાવ પડશે.
મેષ
મેષ રાશિના જાતકોને માટે 2020માં આવનારો રાહુનો ગોચર શુભ સંકેત લાવશે. વૈવાહિક અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. રોકાયેલું ધન પાછું લાવવાના સંકેત પણ મળી રહ્યા છે.
વૃષભ
વૃષભ રાશિના લોકોને આ ગોચર આર્થિક રીતે તંગીની તરફ ધકેલી શકે છે. પારિવારિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે. કોઈ પણ વિવાદમાં પડતાં પહેલાં તેનાથી દૂર રહો તે યોગ્ય છે.
મિથુન
મિથુન રાશિના જાતકોને માટે રાહુનો આ ગોચર હેલ્થને માટે સારો નહીં રહે. માનસિક ચિંતા તમને ઘેરી શકે છે. બિમારી કે અન્ય કારણોથી ખર્ચા પણ વધી શકે છે.
કર્ક
જો તમે વિદેશમાં ફરવા કે નોકરી કરવાને માટે વિચારી રહ્યા છો તો તમે આ કેસમાં ગોચરનો લાભ મેળવી શકો છો. જો કે ખર્ચા વધારે થવાના પણ યોગ બને છે. રોકાયેલું ધન પાછું મળી શકે છે.
સિંહ
સિંહ રાશિના જાતકોને માટે રાહુનો ગોચર શુભ પરિણામ આપશે. તેના પ્રભાવથી તમારી ઇન્કમમાં વધારો થશે. હેલ્થને માટે પણ સારા યોગ બની શકે છે.
તુલા
આ વર્ષે તમે ભાગ્યને બદલે તમારી મહેનત પર જ ભરોસો કરી શકો છો. કેમકે રાહુની પૈની નજર તમારા નસીબને નબળું કરી શકે છે.
કન્યા
આ ગોચર બાદ તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં બનતા કામ બગડી શકે છે. અધ્યાત્મમાં રસ પણ વધશે.
વૃશ્વિક
જો તમે કોઈ કામની શોધમાં છો તો રાહુનો ગોચર તમને સફળતા અપાવશે. વાહન ચલાવતી સમયે સાવધાની રાખો તે જરૂરી છે.
ધન
વ્યાપારમાં પગ માંડનારા માટે આ સમય જરાય સારો નથી. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા નાંખતા પહેલાં કોઈની સલાહ લો તે જરૂરી છે. પાર્ટનરની સાથે પણ મતભેદ સર્જાઈ શકે છે.
મકર
રાહુનો ગોચર તમને દેવાદાર બનાવી શકે છે. આ વર્ષે તમારો શત્રુ તમારા પર હાવી થઈ શકે છે. તમારે તેનાથી બચવું જરૂરી છે.
કુંભ
તમારા સંતાનની હેલ્થ અને કરિયરને માટે આ ગોચર સારો નથી. વિદ્યાર્થી જીવન કે નોકરી કરનારા વ્યક્તિ પર તેનો પ્રભાવ પડશે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે અને દેવાથી મુક્તિ મળવું મુશ્કેલ છે.
મીન
માનસિક રોગ પરિવારના લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે. રાહુની આ ચાલ તમારા સુખ પર ભારે પડશે. દેવા અને સ્વાસ્થ્યને માટે આ ગોચર જરાય સારો નથી.