જમ્મૂ-કાશ્મીરના મુદ્દે ભારત પર આરોપ લગાવી રહેલું પાકિસ્તાન પૂરી દુનિયાથી અલગ-થલગ પડી ગયું છે. હવે પાકિસ્તાનના મંત્રીએ આ કબૂલ કર્યું છે કે પાકિસ્તાનની વાત દુનિયામાં કોઇ સાંભળતું નથી અને જે સાંભળી રહ્યું છે તે વિશ્વાસ નથી કરી રહ્યું. પરંતુ જો ભારત કોઇ વાત કહે છે તો વિશ્વ સમુદાય તેના પર ભરોસો કરે છે.
પાકિસ્તાન પર દુનિયા વિશ્વાસ નથી કરતુંઃ પાક. ગૃહમંત્રી
પાકિસ્તાનના આંતરિક મંત્રી (ગૃહ મંત્રી) બ્રિગેડિયર અહમદ શાહે આ અંગે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું. ઇજાજ અહેમદ શાહે કહ્યું કે જમ્મૂ-કાશ્મીર મુદ્દા પર વિશ્વ સમુદાય અમારી વાત પર વિશ્વાસ કરતું નથી.
અમે કહી રહ્યાં છે કે ભારતે કાશ્મીરમાં કર્ફ્યું લગાવ્યો છે અને ત્યાં હિંસા ફેલાવી રહ્યું છે. જો કે કોઇ અમારી આ વાત માનવા તૈયાર નથી અને વિશ્વ સમુદાય ભારતની વાત પર વિશ્વાસ કરી રહ્યો છે.
પાકિસ્તાનના મંત્રીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે દેશ પર શાસન કરનારાઓએ દુનિયા સમક્ષ છબી બગાડી દીધી છે. અત્યાર સુધી દેશમાં જે લોકોએ આ અગાઉ પણ શાસન કર્યું તેઓ પાકિસ્તાનની છબી બગાડવાના આરોપી છે.
કાશ્મીરને લઇને વિશ્વ સમક્ષ પોતાની રજૂઆત કરનારા પાકિસ્તાનને કોઇપણ દેશનું સમર્થન મળી રહ્યું નથી. આમ અંતમાં પાકિસ્તાને પણ આ વાતની કબૂલાત કરી છે કે તેને કોઇપણ દેશનું સમર્થન મળી રહ્યું નથી.
પાકિસ્તાનના ગૃહમંત્રી ઇજાજ અહમદ શાહે એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારા પર વિશ્વાસ નથી. પરંતુ જો ભારત કોઇ વાત કહે છે તો વિશ્વ સમુદાય તેના પર ભરોસો કરે છે. દુનિયા અમારી વાત ગંભીરતાથી લઇ રહી નથી.