કોરોનો વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉનનો માહોલ છે ત્યારે ગુજરાતના સૌથી વધુ કેસ ધરાવતા અને રાજ્યની લાઇફલાઇન ગણાતા અમદાવાદ શહેરમાં આજે તમામ વિસ્તારો, ગલીઓ અને સ્થળો ભેંકાર ભાસે છે તો વળી લૉકડાઉનનો એક ફાયદો એવો પણ છે કે, સાબરમતી નદી ચોખ્ખી ચણાક થઇ ગઇ છે, પ્રદુષણ ઘટ્યું છે, પ્રાણી સંગ્રહાલયોમાં પ્રાણીઓ શાંતીથી જીવન જીવી રહ્યા છે.
પ્રદુષણમાં થયો ઘટાડો
હવે જરા પ્રદૂષણની વાત પણ કરી લઈએ..સામાન્ય રીતે પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર વધતા વાહનો, ટ્રાફિક અને કન્ટ્રક્સન સાઈડો સહિતના અનેક પાસાઓ છે. પરંતુ લોકડાઉનમાં આ તમામ વસ્તુઓ પર પણ લોકડાઉન લાગી ચૂક્યું છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી છે. અમદાવાદનું એર કોલિટી ઈન્ડેક્શ એટલું નીચું આવી ચૂક્યું છે કે, તમેને ખુદને શ્વાસ લેવામાં ગુંગણામણ નહીં થાય. ત્યારે એક નજર કરીએ શાંત છતાં પ્રદૂષણ મુક્ત અમદાવાદની આ તસવીર પર..
સૌંદર્યથી ભરપૂર કાંકરીયાનો શાંત માહોલ
હવે આપને સાબરમતીના તટ પરથી અમદાવાદના વધુ એક દિલ એને દરેક અમદાવાદીઓના મનપસંદ સ્થળ એટલે કે, કાંકરિયા તળાવની શેર કરાવવા પણ લઈ જઈએ... કારણ કે, હંમેશા લોકોથી ભરચક રહેતું કાંકરિયા એકાએક શાંત બની ચૂક્યું છે. ત્યારે કેવો છે એ શાંત અને સુમસામ બની ગયેલા સૌંદર્યથી ભરપૂર કાંકરીયાનો માહોલ જરા તે પણ જુઓ....
રસ્તાઓ સુમસામ છે. છતાં અમદાવાદ ખુશ છે
અમદાવાદમાં....હાલ કોરોનાના કારણે સ્થિતિ ગંભીર છે. લોકો ઘરમાં કેદ છે. બજારો બંધ છે. રસ્તાઓ સુમસામ છે. છતાં અમદાવાદ ખુશ છે. કારણ કે, લોકડાઉનમાં બીજો કાંઈ ફરેફાર થયો કે, નહીં તે તો નથી ખબર પરંતુ અમદાવાદનું વાતાવરણ ચોક્કસથી શુદ્ધ થઈ ચૂક્યું છે. હવા પ્રદૂષણની સાથે-સાથે ધ્વની પ્રદૂષણ ખતમ થઈ ગયું છે. જાણે અમદાવાદ એક નવી દુનિયામાં પ્રવેશી ચૂક્યું હોય.ત્યારે કેવો છે લોકડાઉનમાં અમદાવાદનો એ શાંત છતાં હૃદય સ્પર્શતો નજારો. જુઓ અમારા ખાસ વિશેષ રિપોર્ટમાં...
આટલું શાંત અમદાવાદ તમે ક્યારેય જોયું છે?
હવે જરા અમદાવાદની પણ શેર કરાવીએ. અમદાવાદના એવા વિસ્તારથી રૂબરૂ કરાવીએ જે હંમેશ ધમધમતા રહે છે. તે પછી ખાવાપીવાની બાબત હોય કે પછી ખરીદીની વાત હોય. ત્યારે કેવો છે અમદાવાદના હંમેશ ભરચક રહેતા વિસ્તારનો માહોલ તે પણ જુઓ...
પ્રાણી સંગ્રહાલય બન્યા શાંત
હવે વાત કરવી છે પશુ-પક્ષીઓની ખુશી અંગે. નવાઈ વાગી હશે કે પશું-પક્ષીઓની ખુશી. જીહાં પશું-પક્ષીઓ પણ આજે ખુશ છે. વાત છે પ્રાણી સંગ્રહાલયની. આપણે કાંકરિયા ફરવા જઈએ એટલે પ્રાણી સંગ્રહાલયમાં જવાનું ન ચૂકીએ.. બાળકોને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના દર્શન કરાવવાનું ન ચૂકીએ.. પરંતુ આજે જ્યારે માનવી જ નથી ફરકી રહ્યા. ત્યારે સ્વાભાવિક છે કે, પ્રાણીઓને પણ શાંતિનો અહેસાશ થવાનો. ત્યારે કેવો છે પ્રાણી સંગ્રહાલયનો તે શાંત માહોલ તે પણ જુઓ..