દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારે અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે આજે 3 મેના રોજ ઉજવવામાં આવ્યો છે. આજે અમે તમને અસ્થમા દિવસનો ઇતિહાસ અને અન્ય મહત્વની જાણકારી આપીશું.
આજે વિશ્વભરમાં વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી
1998માં આ દિવસ 35થી વધુ દેશોમાં યોજાયો હતો
આ દિવસનો હેતુ અસ્થમાના દર્દીઓને મદદ કરવાનો
વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી 3 મેના રોજ
આજે વિશ્વભરમાં વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારને વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આજે 3 મેના રોજ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. અસ્થમા સંબંધિત સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા અને તેમને આ રોગથી જાણકાર કરવા માટે આ દિવસને વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.અસ્થમા એ એક એવો રોગ છે જે ફેફસાં પર હુમલો કરીને શ્વાસને અસર કરે છે. આવી સ્થિતિમાં, આ દિવસનો હેતુ અસ્થમાના દર્દીઓને મદદ કરવાનો પણ છે.
તેની શરૂઆત 1993માં થઈ હતી.
વિશ્વ અસ્થમા દિવસની શરૂઆત 1993માં ગ્લોબલ ઈનિશિયેટિવ ફોર અસ્થમા દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સહયોગથી કરવામાં આવી હતી. 1998માં આ દિવસ 35થી વધુ દેશોમાં યોજાયો હતો. આ દિવસને ડબ્લ્યુએચઓ મારફતે જાહેર આરોગ્યના મહત્વપૂર્ણ દિવસોમાંનો એક માનવામાં આવે છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર,એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે 2016 માં વૈશ્વિક સ્તરે 339 મિલિયનથી વધુ લોકોને અસ્થમા હતો અને અસ્થમાને કારણે 4,17,918 લોકો મૃત્યુ પામ્યા હતા.
આ વર્ષની થીમ નક્કી કરવામાં આવી.
આ વર્ષના અસ્થમા દિવસનો વિષય છે અસ્થમાની સારસંભાળમાં રહેલી ખામીઓને દૂર કરવી (Closing Gaps in Asthma Care).ઘણા લોકોમાં અસ્થમાને લઈને જાગૃકતા નથી .ઘણા લોકોને તો હજી સુધી તેના વિશે ખબર પણ નથી.એટલા માટે તેની થીમ રાખવામાં આવી છે.ગયા વર્ષેની થીમ 'અસ્થમાની ખોટી માન્યતાઓને ઉજાગર કરવી' હતી.ઘણા લોકોમાં અસ્થમાને લગતી ખોટી વાતો હોય છે,આ લોકો સુધી સત્ય પહોંચાડવા માટે જ આ થીમ રાખવામાં આવી છે.
અસ્થમાના લક્ષણો
1. શ્વાસ ચડવો.
2. શ્વાસ લેવામાં તકલીફ.
3. હાંફી જવું.
4. વધુ પડતી ઉધરસ.
5. અતિશય થાકનો અનુભવ કરવો.
6. ધુમ્મસ અથવા ધુમાડાથી એલર્જી થવી.
અસ્થમાના કારણો
1. ધુમાડાના કારણે
2. ધુમ્મસના સંપર્કમાંથી
3. ફાસ્ટ ફાસ્ટ વોકિંગને કારણે
4. ધૂળ અને માટીના રજકણોના કારણે
5. ઋતુના પરિવર્તન દરમિયાન.
6. શ્વસનમાર્ગોમાં ચેપ લાગવાને કારણે
જો ઉપરોક્ત પૈકીનાં લક્ષણો તમને અથવા તમારા નજીકના લોકોને જોવા મળે તો આજે જ હોસ્પિટલનો સંપર્ક કરી સારવાર કરાવો.