સુરત મનપાના બજેટમાં આમ આદમી પાર્ટીની જીતની અસર, સુરતમાં દર 10 હજારની વસ્તીએ ક્લિનિક શરૂ કરાશે. દિલ્હીમાં મહોલ્લા ક્લિકની ચર્ચા દેશભરમાં છે
સુરત મનપાનું 6534 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
કમિશનર બંછાનિધી પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું
ગતવર્ષ કરતા બજેટમાં 404 કરોડનો વધારો
સુરત મનપાનું 6 હજાર 534 હજાર કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. જેમાં આ વર્ષે સુરતમાં કર અને દરમાં કોઇ ફેરફાર નથી કરાયા. સુરતમાં મનપાએ કર અને દર યથાવત્ રાખ્યા છે. સુરત મનપા કમિશરે કહ્યું કે, આ વર્ષે રેવન્યુ આવક વધારી છે. અને બજેટમાં કોરોનાને અનુલક્ષીને પણ જોગવાઇ છે.
દિલ્હીના મહોલ્લા ક્લિનિકનું મોડલ!
તો આ સાથે સુરત મનપામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી હવે ભાજપની રણનીતિ બદલાઈ છે. સુરત મનપાના બજેટમાં આમ આદમી પાર્ટીની જીતની અસર જોવા મળી છે. હવે સુરતમાં દર 10 હજારની વસ્તીએ ક્લિનિક શરૂ કરાશે. નપાના બજેટમાં નવા હેલ્થ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરાઇ છે. સુરતમાં 142 નવા હેલ્થ સેન્ટર શરૂ કરાશે. દર 10 હજારની વસ્તીએ એક હેલ્થ સેન્ટર શરૂ કરવાનું આયોજન કરાયું છે.
સુરત મનપાના બજેટનું ડ્રાફ્ટ
આ સાથે કેપિટલ કામોમાં પણ વધુ ખર્ચ કરાશે. અને 20 હજાર આવાસ માટે 457 કરોડ ખર્ચાશે. સુરતમાં ડ્રેનેજના કામો માટે 397 કરોડ અને તાપી શુદ્ધિકરણ માટે 371 કરોડ ફાળવાયા છે. જ્યારે નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે 140.21 કરોડ અને બેરેજ માટે 26.70 કરોડનો ખર્ચ થશે. સાથે જ સુરત મનપા માટે એરપોલ્યુશન ઘટાડવું કેન્દ્ર સ્થાને હશે. અને મેટ્રો રેલ, નવા વહીવટી ભવન માટે પણ ખર્ચ કરાશે.
સુરત રેલવે સ્ટેશનનું નવું મોડેલ મંજૂર કરાયું છે. જેમાં આઉટર રિંગરોડનું કામ ઝડપી બનાવાશે. અને બેરેજ અને રિવરફ્રન્ટ પ્રકલ્પ માટે 26.90 કરોડ ખર્ચાશે. સુરત શહેરના 52 તળાવોનું રિકન્સ્ટ્રક્શન કરાશે અને 150 નવી ઈ-બસ ખરીદાશે. સુરત શહેરમાં 300થી વધુ ઈલેક્ટ્રિક બસો દોડશે. સુરતમાં એર ક્વોલિટી પર પણ ભાર મુકાશે. જેમાં જુદા જુદા 5 ઝોનમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન બનશે. અને સુરતમાંથી પસાર થતી ખાડીઓને રિ-ડેવલપ કરાશે. હાલ મીઠી ખાડીનું રિ-ડેવલપમેન્ટ કામ ચાલી રહ્યું છે.