દવાઓના ભાવવધારા અંગે આરોગ્ય મંત્રી માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે.
દવાઓના ભાવવધારા અંગે આરોગ્ય મંત્રી માંડવિયાનું નિવેદન
દવાઓની કિંમત વધારવી સરકારના હાથમાં નહીં
WPIને આધારે દવાઓના ભાવમાં થતી રહે છે વધઘટ
દવાઓના ભાવમાં વધારા અંગેની ચિંતાઓ દૂર કરતા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સોમવારે જણાવ્યું હતું કે સરકારે તેમના ભાવમાં વધારો કર્યો નથી. તેમણે કહ્યું કે દવાઓના ભાવ જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક સાથે સંબંધિત અને ઘણી ઓછી કિંમતવાળી ફક્ત કેટલીક જરુરી દવાઓના ભાવમાં મોંઘવારીના વલણ અનુસાર આપમેળે જાતે વધારો કે ઘટાડો થતો રહે છે.
Government doesn't control prices of essential medicines, clarifies Mansukh Mandaviya
માંડવીયાએ જણાવ્યું હતું કે, "ડબલ્યુપીઆઇ સાથે સંકળાયેલી કેટલીક આવશ્યક દવાઓમાં ડબલ્યુપીઆઇની પ્રવૃત્તિ અનુસાર ઓટોમેટિક વધઘટ કે નીચા સ્તરે જોવા મળી શકે છે. આ દવાઓની કિંમત માત્ર થોડા રૂપિયા છે અને જો ડબ્લ્યુપીઆઈમાં 10 ટકાનો વધારો થશે, તો ભાવમાં થોડા પૈસાનો વધારો થશે.
દવાઓના ભાવ વધારવાનો સરકારનો કોઈ વિચાર નથી
તેમણે કહ્યું કે આ દવાઓની કિંમતમાં સરકારની કોઈ ભૂમિકા નથી અને તેણે ન તો કિંમતમાં કોઈ વધારો કર્યો છે અને ન તો તેની પાસે આવું કરવાની કોઈ યોજના છે. માંડવિયાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, જ્યારે ડબલ્યુપીઆઇમાં ઘટાડો થાય છે ત્યારે આ દવાઓના ભાવ પણ આપોઆપ ઘટી જાય છે.