મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતીશ રાણેએ સુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયાનના શંકાસ્પદ મોત અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે દિશાના મોતનાં કારણો અંગે રોહન રાયને બધી ખબર છે
દિશાના મોતનાં કારણો અંગે રોહન રાયને બધી ખબર છે : નીતીશ રાણે
રાણેએ દિશાના મોત બાદ બોયફ્રેન્ડ રોહનના ગાયબ થવા પર સવાલ ઉઠાવ્યા
રાણેએ દિશા અને સુશાંતની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કર
મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નીતીશ રાણેએ સુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયાનના શંકાસ્પદ મોત અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે દિશાના મોતનાં કારણો અંગે રોહન રાયને બધી ખબર છે, પરંતુ ડરનો માર્યો તે આમતેમ ભાગી રહ્યો છે. જો રોહને સામે આવીને ૮ જૂનની પાર્ટીની હકીકત ન જણાવી તો હું સીબીઆઈ સમક્ષ તમામ રહસ્યનો ખુલાસો કરીશ.
મહારાષ્ટ્રની કણકવલી બેઠકથી ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેના પુત્ર નીતીશ રાણેએ કહ્યું કે ૮ જૂનની પાર્ટીમાં જ્યારે દિશા સાલિયાન સાથે દુર્વ્યવ્હાર થયો ત્યારબાદ તેણે આ તમામ વાત સુશાંતસિંહ રાજપૂતને જણાવી હતી, જેના કારણે સુશાંતને પણ આઘાત લાગ્યો હતો. નીતીશ રાણેએ દિશાના મોત બાદ બોયફ્રેન્ડ રોહનના ગાયબ થવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
રાણેએ આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે રોહન મુંબઈથી બહાર ગયો તેની પાછળ બની શકે કે કોઈ શક્તિશાળી વ્યક્તિએ બહુ દબાણ કર્યું હોય. સુશાંતસિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોતની મિસ્ટ્રી પરસ્પર જોડાયેલી છે, પરંતુ મુંબઈ પોલીસે દિશા એંગલની તપાસ જ કરી નથી. દિશાનું મોત ૮ જૂનના રોજ મલાડની એક બિલ્ડિંગના ૧૪મા માળેથી પડવાથી થયું હતું.
નીતીશ રાણેએ દિશા અને સુશાંતની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે આ સમગ્ર મામલે રોહનને બધી ખબર છે. એવામાં રોહનને જીવનું જોખમ પણ હોઈ શકે છે.