રાજકોટના કોંગ્રેસના સિનિયર નેતાઓએ પ્રદેશ વિરુદ્ધની નારાજગી વ્યક્ત કરી દીધી છે. જેના ભાગરૂપે ઇન્દ્રનીલે કોંગ્રેસમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. તો બાવળિયા પણ ભાજપમાં જોડાઇ ગયા છે. જો કે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી ઇન્દ્રનીલને મનાવવામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જો કે થશે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે આગેવાન ઈદ્રનીલ રાજયગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી કરશે. ટુંક સમયમાં ઈદ્રનીલ રાજયગુરુ કોંગ્રેસમાં પરત ફરશે. કુંવરજીને ભાજપમાં જતા રોકવા ઈદ્રનીલે સ્ટેટજીરૂપે રાજીનામું આપ્યું હતું. કુંવરજીએ હવે કોંગ્રેસને બાય બાય કરતા રાજયગુરુ હવે કોંગ્રેસમાં પરત આવશે.
ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ અને કુંવરજી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. ત્યારે રાજીનામાનું એક કારણ આંતરિક વિખવાદ પણ માનવામાં આવી રહ્યો છે. જો કે કુંવરજી હવે ભાજપમાં જોડાઇ ગયા છે. સૂત્રો અનુસાર આવતા અઠવાડિયે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે તો ઇન્દ્રનીલને મળશે.