સુશાંત સિંહ રાજપૂત મામલે સીબીઆઈ દ્વારા રચાયેલી એઈમ્સ ફોરેન્સિક ટીમે પોતાની રિપોર્ટમાં હત્યાની કોઈપણ સંભાવનાને નકારી કાઢી છે. એઈમ્સની ટીમે કહ્યું છે કે તેમની તપાસ મુજબ સુશાંતની મોત ગળે ફાંસો ખાઈ લેવાના કારણે થઈ હતી અને તેથી તે આત્મહત્યા છે. એઈમ્સની ફોરેન્સિક પેનલની આ રિપોર્ટ બહાર આવ્યા પછી દરેકની નજર હવે બોમ્બે હાઈકોર્ટ પર છે કે શું તે રિયા ચક્રવર્તીને જામીન આપે છે કે નહીં. ડ્રગ કેસમાં હાઇકોર્ટે રિયા ચક્રવર્તી, તેના ભાઇ શૌવિક ચક્રવર્તી અને અન્ય 3 લોકોની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને તે આવતા અઠવાડિયે આવી શકે છે.
સુશાંત કેસમાં એઇમ્સનો મોટો ખુલાસો
એઈમ્સે સુશાંતની મોતને આત્મહત્યા ગણાવી
હવે બધાંની નજર બોમ્બે હાઈ કોર્ડના ચુકાદા પર
રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકનો કેસ લડી રહેલાં એડવોકેટ સતીશ માનેશિંદે કોર્ટમાં કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ સામે કોઈ કેસ નથી જેમાં જામીન ન આપી શકાય. તેમણે કહ્યું કે, રિયા અને શૌવિક પર લગાવેલાં ગુનાહિત કાવતરા 'ડ્રગ્સની હેરફેર માટે ફાઈનાન્સિગ'ના આરોપો રિયાને જામીન ન મળવા માટે પૂરતા નથી.
સતીશ માનેશેંદેએ એવી પણ દલીલ પણ કરી છે કે દિલ્હી હાઈકોર્ટની એક ડિવીઝનલ બેંચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે જો ડ્રગ્સની માત્રા ખૂબ ઓછી હોય તો જામીન આપવી જોઈએ. તેમણે કહ્યું કે તપાસમાં રિયા પાસેથી કોઈ ડ્ગ્સ મળી આવ્યું નથી પરંતુ તેના પર સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ લગાવ્યો છે જે ખૂબ જ ઓછી માત્રામાં હતું અને તેથી તેને જામીન મળવા જોઈએ.
એક્સપર્ટ શું કહે છે
વકીલ અમિત દેસાઈ કહે છે કે ઓછી માત્રામાં ડ્રગ્સ પર કાયદો એટલો કડક નથી અને ઘણાં નિર્ણયોમાં એ જોવા મળ્યું છે. જોકે, જો એનસીબીએ કડક આક્ષેપો લગાવ્યા છે તો ડ્રગ્સની માત્રા ઓછી હોવાને આધાર બનાવી જામીન નહીં મળે. મુંબઈના અન્ય એક વકીલ પ્રણવ બઢેકાએ કહ્યું કે એનસીબીના મામલામાં આ કેસમાં ડ્રગ્સની માત્રા એકદમ ઓછી છે, જેથી જામીન મળવા જોઈએ.