આલિયા ભટ્ટ અને રન્વ્બીર કપૂરનાં સાદાઈથી લગ્ન થવા પાછળનાં કારણોનો ખુલાસો નીતૂ કપૂરે કર્યો છે. જાણો આ વિષે વિગતવાર
આલિયા રણબીરે કર્યા 14 એપ્રિલનાં રોજ લગ્ન
મીમ્સ બને છે અને ઘણું બધું થાય છે - નીતૂ કપૂર
ડેસ્ટીનેશન વેડિંગ ઈચ્છતા હતા આલિયા-રણબીર
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનાં લગ્ન 14 એપ્રિલ 2022નાં રોજ થયા, જેની ખૂબ જ ચર્ચા થઇ. જોકે કપલનાં લગ્ન અત્યંત સિમ્પલ રીતે થયા. બંનેનાં લગ્નમાં પરિવાર અને અમુક નજીકનાં મિત્રો જ સામેલ થયા હતા. હવે રણબીર કપૂરની મા નીતૂ કપૂરે જણાવ્યું કે તેમણે ધામધૂમથી લગ્ન કેમ ન કરાવ્યા.
કપલ સિમ્પલ લગ્ન કેમ કર્યા?
નીતૂ કપૂરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અમને સર્કસ જોઈતું ન હતું. અમે કોઈને કહેવા ન માંગતા હતા. મીમ્સ બને છે અને ઘણી વસ્તુઓ થાય છે, જેથી મગજ ખરાબ થઇ જાય છે. એટલા માટે આ બધું ચુપચાપ કર્યું. અમે શોપિંગ પણ નથી કરી. અમુક લોકોને કામ પર રાખ્યા હતા કેમકે જો અમે બહાર જાત તો, સૌને જાણ થઇ જાત કે લગ્ન થઇ રહ્યા છે. જોકે સબ્યસાચીનાં આઉટફિટ્સ આવ્યા, તો સૌને જાણ થઇ જ ગઈ.
જાનને લઈને અધૂરી રહી ગઈ નીતૂની ઈચ્છા
નીતૂ કપૂરે જણાવ્યું કે રણબીર અને આલિયાનાં લગ્નમાં 40 મહેમાન જ સામેલ થયા હતા અને વેડિંગ રિસેપ્શનમાં પણ 40 મિત્રોને બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે બધું જ ખૂબ જ સારું રહ્યું. લગ્નનો સૌથી બેસ્ટ પાર્ટ જાનનો હતો. અમે 5માં ફ્લોરથી 7માં ફ્લોર પર ગયા. અમે પેસેજમાં ભાંગડા પણ કર્યા. હું ઈચ્છતી હતી કે જાનમાં ઘોડી પણ હોય, પરંતુ પછી લાગ્યું કે જો ઘોડી આવશે તો ફોટોગ્રાફ્સ પણ આવી જશે એટલા માટે એ પ્લાન અમે ડ્રોપ કર્યો.
ડેસ્ટીનેશન વેડિંગ ઈચ્છતા હતા આલિયા-રણબીર
એક્ટ્રેસ નીતૂએ એમ પણ જણાવ્યું કે આલિયા અને રણબીરે સાઉથ આફ્રિકામાં ડેસ્ટીનેશન વેડિંગનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ લગ્ન ઘર પર થયા. બે વર્ષથી પ્લાન બનાવી રહ્યા હતા, તો અમે ક્યા જાત. અમે તસવીરો જોઈ રહ્યા હતા. અમે પાગલ થઇ ગયા હતા, પરંતુ બધું જ સારું થયું અને આલિયા ખૂબ જ સુંદર લાગી રહોઈ હતી.