શા માટે કેટલાક લોકોને મચ્છર કરડે છે અને કેટલાકને બિલકુલ નથી કરડતા? તેની પાછળનું કારણ એ બિલકુલ નથી કે એક વ્યક્તિનું લોહી મચ્છરને વધુ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે બીજાનું લોહી ખરાબ લાગે છે. તેની પાછળનું કારણ કંઈક આવું છે.....
શા માટે અમુક લોકોને નથી કરડતા મચ્છર
તેના પાછળનું કારણ છે ચોંકાવનારૂ
લોહીના સ્વાદ કે ગંઘ સાથે નથી લેવાદેવા
ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકો પંખો બંધ રાખીને થોડીવાર બેસે અથવા બહાર બેસે તો મચ્છર તેમના પર હુમલો કરી દે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને મચ્છર કરડતા જ નથી. જ્યારે આવા બે લોકો એક જગ્યાએ એકસાથે બેઠા હોય, ત્યારે આ તફાવત વધુ સરળતાથી જોઈ શકાય છે.
તો હવે પ્રશ્ન એ થાય છે કે આવું કેમ થાય છે? શા માટે કેટલાક લોકોને મચ્છર કરડે છે અને કેટલાકને બિલકુલ નથી કરડતા? તેની પાછળનું કારણ એ બિલકુલ નથી કે એક વ્યક્તિનું લોહી મચ્છરને વધુ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે બીજાનું લોહી ખરાબ લાગે છે.
જાણો તેની પાછળનું કારણ
પરંતુ તેની પાછળ બીજા ઘણા કારણો છે. પહેલું છે કાર્બન ડાયોક્સાઇડ. એક રિપોર્ટ અનુસાર આપણે બધા કાર્બન ડાયોક્સાઈડ છોડીએ છીએ. મચ્છર આ ગેસને સરળતાથી ઓળખી લે છે. જ્યારે વ્યક્તિ વધુ સક્રિય હોય છે. ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધે છે. આવી સ્થિતિમાં મચ્છર સમજે છે કે તેમની આસપાસ કોઈ વ્યક્તિ છે.
વધુ બેક્ટેરિયા વાળી બોડીથી દૂર રહે છે મચ્છર
બીજું કારણ માનવ શરીરની ગંધ છે. કેટલાક લોકોની ગંધ મચ્છરોને વધુ આકર્ષે છે જ્યારે કેટલાકને ઓછી. હકીકતે આપણા પરસેવા અને ત્વચામાં ગંધ સંબંધિત આ પદાર્થો હોય છે, જે મચ્છરને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેમાં લેક્ટિક એસિડ અને એમોનિયાનો સમાવેશ થાય છે. 2011ના એક સંશોધન મુજબ, જો ત્વચા પર વધુ સૂક્ષ્મજીવાણુઓ હશે તો મચ્છરોનું શરીર તરફ આકર્ષણ ઓછું થશે.
ગર્ભવતી મહિલાઓને વધારે કરડે છે મચ્છર
કાળો રંગ મચ્છરોને વધુ આકર્ષે છે. ડાર્ક સ્કિન કલર કે ડાર્ક કલરના કપડા તરફ મચ્છર વધુ આકર્ષાય છે. આ સિવાય જો મચ્છરોને આપણા શરીરમાંથી વધુ ગરમી નીકળતી દેખાય છે તો તે આપણી તરફ વધુ આવે છે. આટલું જ નહીં વર્ષ 2002માં થયેલા એક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જે લોકો વધુ બીયર પીવે છે તેના તરફ મચ્છરો વધુ આકર્ષાય છે. મચ્છર સગર્ભા સ્ત્રીઓ તરફ વધુ આકર્ષિત થાય છે કારણ કે તેમના શરીરનું તાપમાન વધારે હોય છે.