તમે બધાએ ઘણી વખત અંતિમ વિધિની પરંપરાઓ વિશે સાંભળ્યું હશે. આજે અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક વાતો અંગે જણાવીશું. જેને જાણ્યા બાદ તમે પણ કહેશો કે આવુ પણ શક્ય છે.
અંતિમ વિધિની પરંપરાઓ વિશે વધુ જાણો
આખરે મનુષ્યને ગયા જન્મની વાતો કેમ યાદ રહેતી નથી?
આખરે આ વાત પાછળ શું ઘૂંટાયેલુ છે રહસ્ય
મનુષ્યને ગયા જન્મની વાતો કયા કારણોસર યાદ રહેતી નથી?
ખરેખર વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ગયા જન્મની વાતોને યાદ ના રાખવા પાછળ ઑસીટૉસિન નામનું કેમિકલ હોય છે. આ કેમિકલ ગર્ભધારણ દરમ્યાન માતાના ગર્ભમાંથી નિકળી જાય છે. પરંતુ આ તત્વ માતાના ગર્ભમાંથી બાળકની સાથે આવે તો તેને પોતાના ગયા જન્મની બધી વાતો યાદ રહે છે, તેથી અમુક લોકોને ગયા જન્મની વાતો યાદ રહે છે. કહેવાય છે કે ગયા જન્મમાં જે વ્યક્તિનું મોત દર્દનાક થાય છે, તેને પહેલાના જન્મની મોટાભાગની વાત યાદ રહે છે.
અંતિમ વિધિ વખતે મૃતદેહના માથા પર ત્રણ દંડા કેમ મારવામાં આવે છે?
કહેવાય છે કે જે લોકો જાણે છે કે તેની મોત નિશ્ચિત છે, તેઓ જીવન દરમ્યાન મૃત્યુ બાદ મોક્ષ મેળવવાની અભિલાષામાં પુણ્ય કર્મ કરતા રહે છે. તો મનુષ્યના મૃત્યુ બાદ પણ અમુક એવા કર્મ હોય છે, જે મૃતકના પરિવારજનો દ્વારા વિધિપૂર્વક કરવામાં આવે તો મૃતકની આત્માને મુક્તિ મળે છે. કહેવાય છે કે આ કર્મોમાંથી જ એક છે અંતિમ વિધિ વખતે કરવામાં આવતી કપાલ ક્રિયા. જેમાં ચિતામાં બળી રહેલા શવના માથા પર ત્રણ દંડા મારવામાં આવે છે. કહેવાય છે કે વાંસના ડંડા પર એક લોટો બાંધીને મનુષ્યના શરીરના માથા પર ઘી નાખવામાં આવે છે, આવુ એટલા માટે કરવામાં આવે છે કારણકે માણસનુ માથુ સારી રીતે બળી જાય. માણસના શરીરના હાડકા બાકીના અંગોની અપેક્ષાએ વધુ કઠોર હોય છે. જેના કારણે તેને સારી રીતે અગ્નિમાં બાળવાના ઉદ્દેશ્યથી શવના માથા પર ઘી નાખવામાં આવે છે.
તંત્ર મંત્ર કરનારા સ્મશાન ઘાટથી મૃતકની ખોપડી લઇને પોતાની સાધના પૂર્ણ કરી શકે છે. જેના કારણે મૃત વ્યક્તિની આત્મા આવા અઘોરીઓ અને પિશાચ પૂજન કરનારાની ગુલામ બની શકે છે. તેથી ખોપડીને તોડીને નષ્ટ કરી દેવામાં આવે છે.