WHO ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસની ચેતવણી છે દુનિયામાં ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નથી, કોરોનાના બીજા પણ વેરિયન્ટ આવતા રહેશે.
WHO ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસનો દાવો
ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નથી
દુનિયામાં કોરોનાના બીજા વેરિયન્ટ આવતા રહેશે
કોરોનાના નવા વેરિયન્ટને લઈને વિશ્વ આરોગ્ય સંગઠનને એક મોટી ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે એવી આગાહી કરી છે દુનિયામાં ઓમિક્રોન વેરિયન્ટ છેલ્લો નહીં હોય, ઓમિક્રોન પછી પણ બીજા ઘણા વેરિયન્ટ દુનિયામાં આવતા રહેશે અને લોકોને રંજાડતા રહેશે.
દુનિયામાં હાલમાં જે સ્થિતિ છે તે નવા વેરિયન્ટને જન્મ આપવા પૂરતી
WHO ચીફ ટેડ્રોસ અદનોમે કહ્યું કે દુનિયામાં હાલમાં જે સ્થિતિ છે તે નવા વેરિયન્ટને જન્મ આપવા પૂરતી છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન આવ્યાં બાદ વિશ્વમાં 8 કરોડથી વધુ કેસ આવ્યાં. આ કેસની સંખ્યા 2020 કરતા પણ વધારે છે. તેમણે કહ્યું કે આ મહામારી સાથે જોડાયેલા બીજા ઘણા વેરિયન્ટ ભવિષ્યમાં આવતા રહેશે.
મહામારીનો ખતરો 2022માં ખતમ થઈ શકે, આ કામ કરવું પડે
નવા વેરિયન્ટની ચેતવણી છતા WHO ચીફ ટેડ્રોસ અદનોમે કહ્યું કે જો વૈશ્વિક આરોગ્ય એજન્સી અને તમામ દેશ સાથે મળીને આગળ વધે તો આ મહામારીનો ખતરો 2022માં ખતમ થઈ શકે છે.
દરેકને ઓમિક્રોન નહીં થાય
WHOએ કહ્યું છે કે ઓમિક્રોનને હળવાશથી લેવાની ભૂલ ન કરો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ઝડપથી ફેલાવાના કિસ્સામાં ઓમિક્રોન અન્ય પ્રકારોને બદલી રહ્યું છે જોકે તે બધાને નહીં થાય.
રસી ન લેનાર લોકો માટે મોટો ખતરો
WHO અધિકારીએ એમ પણ કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછો ખતરનાક છે. તેમ છતાં આ રોગની અસર લોકોમાં જોવા મળી રહી છે. અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. જે લોકો મોટી ઉંમરના છે. જેમને રસી આપવામાં આવી નથી અથવા ગંભીર બીમારીથી પીડિત છે, તેમની સ્થિતિ ઓમિક્રોનને કારણે વધુ ગંભીર બની રહી છે.