ઇન્ફોસિસના અજાણ્યા કર્મચારીઓના એક સમૂહે એક વિસ્ફોટક લેટર લખીને આરોપ લગાવ્યો છે કે વધારે નફો અને રેવેન્યૂ કમાવવા માટે કંપનીએ 'અનૈતિક' આચરણનો સહારો લીધો છે.
ઇન્ફોસિસના CEO અને CFO પર અનૈતિક આચરણનો આરોપ
કંપનીના અજાણ કર્મચારીઓના સમૂહે લખ્યો લેટર
કંપનીએ કહ્યું એની તપાસ ઑડિટરથી કરાવવામાં આવશે
ઇન્ફોસિસના CEO સલિલ પારિખ અને CFO નીલાંજન રૉય કદાચારના આરોપોથી ખરાબ રીતે ઘેરાઇ ગયા છે. કર્મચારીઓના એક અજાણ સમૂહે ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. ગ્રુપે કહ્યું છે કે કંપનીનો નફો વધારે દેખાડવા માટે એમને રોકાણ નીતિ અને એકાઉન્ટિંગમાં છેડતી કરી છે અને ઑડિટરને અંધારામાં રાખ્યા છે. આ સમૂહનું કહેવું છે કે એમની પાસે પોતાના આરોપોના પ્રમાણમાં ઇ મેલ અને વોયસ રેકોર્ડિંગ પણ છે.
એથિકલ એમ્પ્લોઇઝ નામના ઇન્ફોસિસના આ અજાણ કર્મચારીઓમા સમૂહે ઇન્ફોસિસ બોર્ડની સાથે જ અમેરિકાના સિક્યૂરિટી એન્ડ એક્સચેન્જ કમીશનને એક વિસ્ફોટક લેટ લખીને આરોપ લગાવ્યો છે કે વધારે નફો અને રેવન્યૂ કમાવવા માટે કંપનીએ 'અનૈતિક' આચરણનો સહારો લીધો છે. આ લેટર 22 સપ્ટેમ્બરે જ લખવામાં આવ્યો હતો.
રેવેન્યૂમાં હેરાફેરી
લેટરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કર્મચારીઓના આ સમૂહને ચાર્જ લેવા દેવામાં આવતો નથી. કારણ કે એનાથી કંપનીના નફા અને શેર કિંમત પર અસર પડી શકે છે. એમાં CFO નિલાંજન રૉયનો વૉયસ રેકોર્ડિંગ પણ છે, જેમાં તે એવું કહી રહ્યા છે કે એવી જાણકારી કંપનીના ઑડિટર અને બોર્ડને શેર કરવામાં આવે નહીં.
ઇન્ફોસિસ બોર્ડને લેટર લખીને મોકલેલી પોતાની ફરિયાદમાં કર્મચારીઓના ગ્રુપે કહ્યું કે એમને પ્રમાણની કૉપીઓ મેલની સાથે અટેચ કરી છે અને એ આ મામલેની તત્કાલ તપાસ ઇચ્છે છે. લેટર અનુસાર, 'વોયસ રેકોર્ડિંગ અને ઇમેલથી એવું જાણવા મળે છે કે કેવી રીતે CEO અને CFOએ ઑડિટરને નજરઅંદાજ કર આ કામ કર્યું અને ઑડિટરને બદલી નાંખવાની પણ ધમકી આપી.'