વૃદ્ધો અને બાળકોના કબ્રસ્તાન વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ દુનિયામાં એક અજીબ કબ્રસ્તાન છે જ્યાં લોકોને કે જાનવરોને નહી પરંતુ આઇસક્રીમના ફ્લેવરને દફનાવવામાં આવે છે.
આઇસક્રીમના કબ્રસ્તાન વિશે સાંભળ્યું છે?
જે ફ્લેવર બંધ થઇ ગયા છે તેને દફનાવાય છે
ગ્રેવયાર્ડમાં સૌથી પહેલા 4 ફ્લેવરને દફનાવવામાં આવ્યા
આ ફ્લેવર ગ્રેવયાર્ડમાં ફેમસ બ્રાંડ બેન એન્ડ જેરીના ફ્લેવર્સને દફન કરવામાં આવ્યા છે. આ ફ્લેવર્સને દફન કરવા પાછળ એક ખાસ કારણ છે જે ખુબ જ ઇમોશનલ છે.
કેમ આઇસ્ક્રીમને દફનાવવામાં આવે છે?
એક રિપોર્ટ અનુસાર સૌથી અજીબ કબ્રસ્તાનમાં આ ગ્રેવયાર્ડ સામેલ થાય છે. આઇસક્રીમ બ્રાંડ બેન એન્ડ જેરીના તે ફ્લેવરને દફનાવવામાં આવે છે જે હવે બંધ થઇ ગયા છે. આજે પણ આઇસક્રીમ લવર્સ પોતાના ફેવરિટ ફ્લેવર્સને યાદ કરે છે. તે અહીં આવીને પોતાના ફેવરિટ ફ્લેવર્સની કબ્ર પાસે આવીને રડી શકે છે.
30 વર્ષ પહેલા શરૂ થયું હતું
બેન એન્ડ જેરીના નીકોલા સિમન્સે આ ગ્રેવયાર્ડ વિશે કહ્યું કે, આ ફ્લેવર્ડ ગ્રેવયાર્ડ 30 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. હેલોવીનના સમયે અમે આ વૅબસાઇટ શરૂ કરી હતી. બાદમાં 1997માં અમે પોતાની વોટરબેરી પ્લાન્ટમાં આ કબ્રસ્તાનને શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં આ ફ્લેવરને પસંદ કરે છે તેઓ આ ગ્રેવયાર્ડની વિઝીટ કરી શકે અને પોતાના ઇમોશન્સ જાહેર કરી શકે.
આ ગ્રેવયાર્ડની શરુઆત 4 ફ્લેવર્સની કબર બનાવવાથી થઇ હતી પરંતુ હવે તેની સંખ્યા 35 થઇ ગઇ છે. આ બધું જાણ્યા પછી તમે કહી શકો છો કે આઇસ્ક્રીમ ફ્લેવર બંધ થવું તે નાની વાત નથી.