પેટમાં દુ:ખાવો, માથામાં દુ:ખાવો આવી તમામ પ્રકારની સમસ્યાઓમાં દવાઓ લેવામાં આવે છે. ઘણી વખત દવા અસર બતાવે છે અને ઘણી વખત નહીં.
દવા ક્યારે ઝડપથી અસર બતાવશે અને ક્યારે નહીં?
અમેરિકાની આ યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યુ
દવા ઓગળવા માટે શરીરની મુદ્રા જવાબદાર
શરીરમાં દવા કેમ ઝડપથી અસર કરતી નથી?
આવુ કેમ થાય છે એક દવા ક્યારેય ફાયદો કરે છે તો તે દવા ફરીથી લેવાથી અસર બતાવતી નથી અથવા પછી બહૂ ધીરે કામ કરે છે. જેને સમજવા માટે અમેરિકાની જોન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીએ રિસર્ચ કર્યુ. રિસર્ચમાં આ સવાલનો જવાબ મળ્યો. જાણો, દવા ક્યારે ઝડપથી અસર બતાવે છે અને ક્યારે ધીરે કામ કરે છે. સંશોધકોનુ કહેવુ છે, જ્યારે પણ માણસ કોઈ દવા ખાય છે તો લોહીમાં ભળ્યાં બાદ પોતાની અસર બતાવે છે. કોઈ પણ દવાને લોહીમાં ભળવા માટે પેટ અને આંતરડામાંથી પસાર થવુ પડે છે. આ આખી પ્રક્રિયામાં કેટલો સમય લાગશે આ બધુ દવા લેતા સમયે દર્દીની બેસવાની અને ઊંઘવાની પોઝીશન પર નિર્ભર કરે છે.
શરીરની મુદ્રા જવાબદાર
સંશોધકો મુજબ, દવા કેટલી જલ્દી શરીરમાં ઓગળશે અને પોતાની અસર બતાવશે. જેના માટે શરીરની મુદ્રા જવાબદાર હોય છે. જોન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના સંશોધકોનુ કહેવુ છે, જો તમે ઈચ્છો છો કે દવા તાત્કાલિક તેની અસર બતાવવા માંડે તો તેના માટે દર્દીએ સીધા બેસવાની જગ્યાએ જમણી બાજુ ઝુકીને બેસવુ વધારે સારું રહેશે.
દવા આ રીતે લેશો તો તરત શરીરમાં કરશે અસર
રિસર્ચમાં સામેલ સંશોધનકારે તેને સમજવા માટે પેટનુ એક કોમ્પ્યુટર મૉડલ તૈયાર કર્યુ. મોડલ દ્વારા એવુ જણાવ્યું કે દવા ક્યારે અને કેવીરીતે અસર કરે છે. તેઓ કહે છે, દવાને જ્યારે જમણી બાજુએ ઝૂકીને લેવામાં આવે તો તે સીધા પેટના ઊંડા ભાગમાં પહોંચી જાય છે અને ઝડપથી અસર બતાવે છે.