વોટ્સએપે પોતાના 150 કરોડને એપ અપડેટ કરવાની સલાહ આપી છે. વોટ્સએપમાં એક બગના કારણે સ્પાયવેર ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જાય છે તેવું જાણવા મળ્યું છે. જે તમારી જાણકારી ચોરી લે છે. જેના પગલે વૉટ્સઍપે તેના તમામ યુઝર્સને ઍપને અપડેટ કરવાની સલાહ આપી છે.
જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો સાવધાન થઇ જાવ. એના કોલિંગ ફીચરમાં વોટ્સએપને એક બગ જાણવા મળ્યું છે જે તમારી જાણકારી ચોરી શકે છે. એટલા માટે વોટ્સએપએ એના 150 કરોડ યૂઝર્સને એપ અપડેટ કરવાની સલાહ આપી છે.
આ દ્વારા તમારા ફોનની જાણકારી ચોરી થઇ શકે છે. એને સ્પાઇવેયર કહેવામાં આવે છે. આ સ્પાઇવેર તમારા ફોનમાં ફોન કૉલ ફંક્શન દ્વારા આવી શકે છે.
એક રિપોર્ટ અનુસાર આ સ્પાઇવેર ઇઝરાયલની કંપની એનએસઓ ગ્રુપે બનાવ્યું છે. એમાં વોટ્સએપ ઑડિયોૉલ દ્વારા બગ તમારા ફોનમાં આવી શકે છે. આ તમારા ફોનમાં સ્પાઇવેર ઇન્સ્ટોલ કરી દે છે.
વોટ્સએપએ કહ્યું છે કે એને એની જાણ ગત મહિને જ જાણ થઇ. હવે એને ફિક્સ કરી દેવામાં આવ્યું છે. વોટ્સએપનું કહેવું છે કે લોકોએ પોતાની એપ લેટેસ્ટ વર્ઝનથી અપડેટ કરી લેવી જોઇએ. સાથે જ લોકોને એમની ઑપરેટિંગ સિસ્ટમ પણ લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરવાની સલાહ આપી છે.
જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન છે તો ગૂગલ પ્લે સ્ટોરમાં જાવ. વોટ્સએપ ટાઇપ કરો. ત્યારબાગ વોટ્સએપ પર જઇને તામીર એપ અપડેટ કરી લો. એપલ યૂઝર્સ પણ પોતાના આઇઓએસ સ્ટોરથી એપ અપડેટ કરી શકે છે.
ઇઝરાયલનો એનએસઓ ગ્રુપ સરકાર માટે કામ કરે છે. વોટ્સએપે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ એક પ્રાઇવેટ કંપની છે જે સરકારની સાથે કામ કરે છે. બીજી તરફ એનએસઓએ આ આરોપો ફગાવી દીધા છે. વોટ્સએપના જણાવ્યા અનુસાર આ બગના કારણએ ખૂબ ઓછા લોકો પ્રભાવિત થયા છે.