Whatsapp પર એક નવું ફીચર આવવાનું છે, જેમાં યૂઝર ટાઇમ સેટ કરી શકે છે કે મોકલેલો મેસેજ કેટલી વારમાં એની જાતે ડિલીટ થઇ જાય. જો કે આ પહેલા એપએ યૂઝર્સના અનુભવને સારા બનાવવા માટે ઘણા ફીચર્સ લૉન્ચ કર્યા હતા.
Whatsapp પર મેસેજ મોકલ્યા બાદ આપોઆપ ડિલીટ થઇ જશે
એક રિપોર્ટ અનુસાર આ ફીચરનું નામ ‘Disappering Message’ છે
યૂઝર Group Info જઇને ‘Disappering'નો વિકલ્પ સિલેક્ટ કરી શકે છે
ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્લિકેશન વોટસએપ પર ટુંક સમયમાં નવું ફીચર આવી રહ્યું છે વોટસ એપના ફિચર્સ અને વિવિધ ડેવલપમેન્ટ પર નજર રાખતી સાઇટ WABetaInfoએ એક રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે ફેસબુકની માલિકીની કંપની વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહી છે જેમાં મેસેજીસ ચોક્કસ સમય પછી આપોઆપ ડિલીટ થઇ જશે. તેના માટે
વોટસએપમાં ડિસએપિયર્ડ ફિચર આપવામાં આવશે. જેમાં યુઝર્સને ઓટોમેટિક ચેટ ડિલીટ કરવાનો ઓપ્શન મળશે.
આ ફીચર જોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર પહેલેથી જ ઉપલબ્ધ છે. દરમિયાનમાં વોટસએપ 1 ફેબ્રુઆરી, 2020 થી Android 2.3.7 અને આઇઓએસ 7 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા એન્ડ્રોઇડ અને આઇફોન પર સપોર્ટ બંધ કરી દેશે. એટલે કે આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા મોબાઇલ પર વોટસએપ કામ કરશે નહીં. જોકે આટલી જુની સિસ્ટમના ફોન વાપરતા લોકોની સંખ્યા બહુ જુજ છે.
અગાઉ વિન્ડોઝ ફોનમાં માઇક્રોસોફટે સપોર્ટ બંધ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિન્ડોઝ ઓપરેડિંગ સિસ્ટમ પર કામ કરતા સ્માર્ટફોનની સંખ્યા પણ ઘણી ઓછી છે.માઇક્રોસોફટે એન્ડ્રોઇડ અને એપલની સામે વિન્ડોઝ સોફટવેર આધારિત સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા.જેને ખાસ સફળતા મળી ન હતી.ધીમે ધીમે તેનું વેચાણ સાવ ડાઉન જતાં છેવટે માઇક્રોસોફટે મોબાઇલ પ્રોજેકટ પર પડદો પાડી દીધો હતો.
Whatsapp ફીચર જલ્દી થશે લૉન્ચ
સૂત્રોનું માનીએ તો Whatsapp જલ્દીથી નવું ફીચર લૉન્ચ કરશે. એપ પોતાના યૂઝર્સની ખાનગી જાણકારીને આ ફીચરથી પૂરી રીતે સુરક્ષિત રાખવા ઇચ્છે છે. આમ તો ફીચરને ટેસ્ટિંગ માટે રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ જોવું પડશે કે ગ્રાહકો આ ફીચરને પસંદ કરે છે કે નહીં.