Delhi Violence: ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી કોમી હિંસા કેસની સુનાવણી દરમિયાન કોર્ટે બહુ તીખી ટિપ્પણી કરી હતી. કેસના તમામ નવ આરોપીઓને 28 ઓગસ્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો.
દિલ્લી હિંસા મામલે કોર્ટની તીખી ટિપ્પણી
ઉત્તર પૂર્વ દિલ્લીમાં હિંસા મામલે કોર્ટની અવલોકન
નવ આરોપીઓને લગતા એક મામલાની ચાલી રહી છે સુનાવણી
દિલ્હીની એક કોર્ટે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં દિલ્હી હિંસાના એક કેસની સુનાવણી કરતાં કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે વૉટ્સએપ ગ્રુપના સભ્યોએ મુસ્લિમો બદલો લેવાના જોશમા તેમનો વિવેક ગુમાવી દીધો હતો, અને ટોળાની વિચારસરણી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કોમી હિંસા ફાટી નીકળી હતી જે દરમિયાન 1 રહેવાસીની હત્યાના મામલામાં 9 લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર ધ્યાન આપ્યા બાદ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
શું કહ્યું વધુમાં કોર્ટે?
કોર્ટે કહ્યું હતું કે કેટલાક યુવકો જેમણે મુસ્લિમો પર બદલો લેવા વોટ્સએપ પર 'કટ્ટર હિન્દુ એકતા' નામનું ગ્રુપ બનાવ્યું હતું, તે કથિત રીતે દુષપ્રચારની 'અવિરત મૂર્ખતા' નો અહેસાસ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પુરુષોત્તમ પાઠકે હાશીમ અલીની કથિત હત્યાના મામલામાં નવ લોકો વિરુદ્ધ તોફાનો, ગેરકાયદેસર મેળાવડા, હત્યા અને ગુનાહિત કાવતરા અંગેનું ધ્યાન લીધું હતું. કોર્ટે આ કેસની વધુ સુનાવણી માટે તમામ આરોપી લોકેશકુમાર સોલંકી, પંકજ શર્મા, સુમિત ચૌધરી, અંકિત ચૌધરી, પ્રિન્સ , ઋષભ ચૌધરી, જતીન શર્મા, વિવેક પંચાલ અને હિમાંશુ ઠાકુરને વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવા 28 ઓગસ્ટે આદેશ આપ્યો હતો.
ગુનાઓનું ધ્યાન રાખવા માટે પૂરતી સામગ્રી
ન્યાયાધીશે તેના આદેશમાં કહ્યું, "મને લાગે છે કે આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગુનાઓની નોંધ લેવા માટે રેકોર્ડ પર પૂરતી સામગ્રી છે." કોર્ટે કહ્યું હતું કે સાક્ષીઓના નિવેદનો અને ચાર્જશીટ પરથી, તે આરોપીઓએ ઇરાદાપૂર્વક કાવતરું રચ્યું હોવાનું જાણવા મળ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, 26 ફેબ્રુઆરીએ આરોપીઓએ ભગીરથી વિહાર નાળાના પુલ પાસે હાશિમ અલીની નિર્દયતાથી હત્યા કરી હતી અને લાશને ગટરમાં ફેંકી હતી. 27 ફેબ્રુઆરીએ ગોકુલપુરી વિસ્તારમાં એક ડ્રેઇનમાંથી લાશ મળી હતી.