વડોદરા વાધોડીયાના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે ભાજપ હાઈ કમાંડ સામે ચેલેન્જ ફેંકતા હોય તેમ કહ્યું- નો રીપીટ થિયરી બીજા માટે,મારા માટે નહિ.હું ચૂંટણી લડીશ અને જીતીશ.
મારે માટે કોઈ નો રીપીટ નહિ ;શ્રીવાસ્તવ
હું ચૂંટણી લડીશ અને જીતીશ- શ્રીવાસ્તવનો દાવો
નીતિન પટેલે પણ કહ્યું હું મહેસાણાથી લડીશ ચૂંટણી
નવા સરદાર અને નવી સરકારની રચના બાદ ભાજપના જોના જોગીઓ શું કરશે તે અંગે કયાસ લગાવાઈ રહ્યા છે આ ઉપરાંત તેઓને 2022 વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ મળશે કે કેમ એ અંગેના પણ તર્ક વિતર્ક થઇ રહ્યા છે.આ વચ્ચે યેન કેન પ્રકારેણ વિવાદમાં રહેતા વાધોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી હૂંકાર ભર્યો છે.મધુ શ્રી વાસ્તવે કહ્યું કે, 'નો રીપીટ થીયરી બીજા માટે હશે,મારા માટે નહિ. હું વાઘોડીયાથી જ ચૂંટણી લડીશ.
શું કર્યો ટંકાર ?
2022ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ ગોઠવવાની શરૂઆત કરતા હોય તેમ મધુ શ્રી વાસ્તવે ભાજપના મોવડી મંડળને ઈશારો કરી દીધો છે.શ્રી વાસ્તવે કહ્યું કે, 'નો રીપીટ થિયરી બીજા બધા માટે હશે.મારા માટે નહિ' હું 6 ટર્મથી ધારાસભ્ય છું,અને મારા મત વિસ્તાર વાઘોડીયાથી હું ચૂંટણી લડીશ.અને અહીંથી જીતીશ પણ ખરો.
વિષાદ-વિવાદના શ્રીવાસ્તવ
વડોદરામાં કેટલીક ઘટનાઓમાં ભાજપના ધારાસભ્યો એક સાથે પાર્ટીમાં રોષ વ્યક્ત કરી ચુક્યા છે.પછી તે વડોદરામાં પૂર્વ મંત્રી સૌરભ પટેલે યોજેલો વડફેસ્ટ હોય કે, મંત્રી મંડળમાં ધારાસભ્યોનો સમાવેશ ના હોવાની નારાજગી અન્ય રીતે વ્યક્ત કરી હોય. પૂર્વ મંત્રી યોગેશ પટેલ,મધુ શ્રીવાસ્તવ, કેતન ઈનામદાર સહિતના ધારાસભ્યોએ સામૂહિક નારાજગી વ્યક્ત કરી હતી. એક તબ્બકે પ્રભારી ભરત પંડ્યાએ દોડી જઈને દરમિયાનગીરી કરી હતી. બાદમાં તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાયા હતા.
અધિકારીઓ ગાંઠતા નથી જેવા આરોપો સાથે પણ મધુ શ્રીવાસ્તવ વિવાદમાં આવ્યા હતા. જાહેરમાં કેટલાક નિવેદનોને લઈને પણ મધુ શ્રીવાસ્તવ ક્યારેક વિષાદમાં અને બહુધા વિવાદમાં રહ્યા છે.
પહેલા નીતિન પટેલનું નિવેદન
ગુજરાતમાં નવા મંત્રી મંડળની રચના બાદ હવે સઘળું ફોકસ 2022ની વિધાનસભા પર લાગેલું છે. રાજનીતિક સમિક્ષકો નવા મંત્રીમંડળ સાથે વહેલી ચૂંટણીના પણ કયાસ લગાવી રહ્યા છે.ગુરુવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, 2022 ની વિધાનસભા ચૂંટણી તેઓ મહેસાણાથી લડશે. ત્યાર બાદ, મંત્રી મંડળમાં નાં સમાવાયેલા વાધોડીયાના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે પણ ચૂંટણી લડવાની મહેચ્છા વ્યક્ત કરી દીધી છે.
શું આ હજુ શરૂઆત છે ?
વિધાનસભા-2022 ની ચૂંટણીને હજુ વાર છે પણ આ પ્રકારના નિવેદનથી પોતાના મત વિસ્તારના નાગરિકોની લાગણી જીતવાનો મધુ શ્રીવાસ્તવનો પ્રયાસ હોય શકે. નીતિન પટેલના નિવેદન બાદ મધુ શ્રી વાસ્તવ સામે આવ્યા છે. શું ભાજપમાં હવે વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓ આવી રીતે ટીકીટ માટે દાવેદારી શરુ કરશે ? શું ચૂંટણીની તૈયારી પહેલા જ આ શરૂઆત થઇ ચૂકી છે ?