વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું છે ત્યારે તેમના રાજીનામા પાછળનું કારણ શું છે તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે તેમજ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વિજય રૂપાણીનું મુખ્યમંત્રી પદથી રાજીનામું
વિજય રૂપાણીના રાજીનામા પાછળનું કારણ શું?
કયા કારણોને લઇ રાજીનામું આપવું પડ્યું?
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે તેમના રાજીનામા પાછળનું કારણ શું છે. જેને લઇ તેમને રાજીનામું આપવું પડ્યું.
પ્રભાવી ચહેરો ન બની શક્યા
વિજય રૂપાણીને વર્ષ 2016માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવી સીએમ બનાવાયા હતા અને 2017ની ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં લડાઇ હતી. જે જીતવા માટે ભાજપને ઘણી મહેનત કરવી પડી હતી. ત્યારે ભાજપે ખુદને મજબૂત કરવાની તૈયારી કરી લીધી છે.
ભાજપને મજબૂત પ્રદેશ નેતા જોઇએ
રૂપાણીના રાજીનામા પાછળના કારણે અંગે વાત કરીએ તો 2017માં તેઓ ભાજપના ચહેરા હતા પરંતુ તેઓ પ્રભાવી ચહેરા નથી બની શક્યા અને 2017ની ચૂંટણી જીતવા મોદી-શાહને ઘણી મહેનત કરવી પડી હતી. લાઇમલાઇટથી દૂર રહી કામ કરવાની શૈલીના કારણે તેઓ પ્રભાવી ન થઇ શક્યા અને ભાજપના એક નેતા તરીકે ખુદની ઓળખ ન બનાવી શક્યા.
પાટીદાર મતદારોને આકર્ષવાની કોશિશ
પાટીદાર પાવર પણ એક મુખ્યકારણ હોઇ શકે છે.રાજ્યમાં પાટીદાર સમાજ ભાજપના પરંપરાગત મતદાર રહ્યો છે. જેને સાધી રાખવા માટે ભાજપ કોશિશ કરી રહી છે અને એ જ કારણ છે કે નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને ગોરધન ઝડફિયાનું નામ ચર્ચાામાં છે.
કોરોનામાં રૂપાણીની કામગીરી પર ઉઠતા સવાલો
કોરોના કપરા કાળમાં રૂપાણીની કામગીરીને લઇને પણ તેમના પર સવાલ ઉઠી રહ્યા હતા અને સરકાર અને સંગઠન વચ્ચે થઇ રહેલા સતત વિવાદના કારણે પણ તેમને રાજીનામું આપવું પડ્યું હોવાની ચર્ચા છે સાથે જ વિજય રૂપાણી જૈન સમાજમાંથી આવે છે. જેને લઇ તેઓ જાતિય સમીકરણમાં ફિટ નથી બેસતા.
રૂપાણી જાતિય સમીકરણમાં ફિટ નથી
રાજ્યમાં પાટીદાર બાદ બીજા નંબર પર ઓબીસી અને દલિત-આદિવાસી મતદારો છે અને જૈન મતદાર ભાજપ માટે એટલા અસરદાર નથી સાથે જ રોજગારી પણ ગુજરાતમાં મહત્વનો મુદ્દો રહ્યો છે અને ગુજરાતમાં રૂપાણી સરકાર દરમિયાન નોકરશાહી પણ વધુ હાવી હોવાને લઇ ભાજપના ધારાસભ્યો સતત સવાલો ઉઠાવી રહ્યા હતા. જેને લઈ પણ રૂપાણીને રાજીનામાનો ઉપરથી નિર્દેશ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, હાલ વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું રહ્યું ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કયો ચહેરો સામે આવે છે તેની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.