શું તમે જાણો છો કે આખરે ભારતમાં લાઉડસ્પીકર સંબંધિત કાયદામાં શું જોગવાઈઓ કરવામાં આવી છે.
લાઉડસ્પીકરને લગતી કેટલીક કાયદાકીય જોગવાઇઓ પણ દેશમાં કરાઇ છે
જાહેર સ્થળોએ લાઉડસ્પીકર વગાડવા માટે લેખિત પરવાનગી જરૂરી
સાયલન્ટ ઝોનના 100 મીટરની અંદર લાઉડસ્પીકર વગાડી શકાય નહીં.
આપણા ભારત દેશમાં વિવિધ પ્રદેશો રહેતા લોકો અને તેમના જૂથની માન્યતાઓ વિશે ઘણો તફાવત રહેલો હોય છે. વિવિધ ધર્મો, ભાષાઓ અને બોલીઓ સાથે આપણે સહિયારી પરંપરાઓ વિશે વાત કરીએ છીએ અને એકબીજાને માન આપીએ છીએ. પરસ્પર પ્રેમની આ લાગણી આપણી રાષ્ટ્રીય એકતાનો પાયો નાખે છે. પરંતુ તાજેતરમાં કેટલાંક એવાં મુદ્દાઓ પણ સામે આવ્યાં છે કે, જેને જો ધર્મ સાથે જોડીએ તો ક્યાંક તેનો વિરોધ પણ કરવામાં આવે છે. તો ક્યાંક તેને સમર્થન પણ આપવામાં આવે છે. પરંતુ શું વાસ્તવમાં તમે તેના કાયદા અંગે જાણો છો....
આજે અહીં વાત કરવામાં આવી રહી છે લાઉડસ્પીકરની કે જેને લગતી કેટલીક કાયદાકીય જોગવાઇઓ પણ દેશમાં કરવામાં આવી છે. ત્યારે આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યાં છીએ કે આખરે લાઉડસ્પીકરને લઇને આપણો ભારતનો કાયદો શું કહે છે.
જાણો શું છે ધ્વનિ પ્રદૂષણ અધિનિયમ-2000?
જાહેર સ્થળોએ લાઉડસ્પીકર વગાડવા માટે લેખિત પરવાનગી જરૂરી છે
રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ
બંધ રૂમ, સ્થળોએ રાત્રે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી
ખાસ સંજોગોમાં રાજ્ય સરકાર રાત્રિના 12 વાગ્યા સુધી મંજૂરી આપી શકે છે.
રાજ્ય સરકાર હોસ્પિટલો, શૈક્ષણિક, વેપારી સંસ્થાઓની આસપાસ સાયલન્ટ ઝોન બનાવી શકે છે.
સાયલન્ટ ઝોનના 100 મીટરની અંદર લાઉડસ્પીકર વગાડી શકાય નહીં.
જાણો ક્યાં કેટલો અવાજ જોઇએ?
રહેણાંક વિસ્તાર: સવારે 6:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી 55 ડેસિબલ
રહેણાંક વિસ્તાર: રાત્રે 10:00 થી સવારે 6:00 સુધી 45 ડેસિબલ
બિઝનેસ એરિયા: સવારે 6:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી 65 ડેસિબલ
વ્યાવસાયિક ક્ષેત્ર: રાત્રે 10:00 થી સવારે 6:00 સુધી 55 ડેસિબલ
શાંત ક્ષેત્ર: સવારે 6:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી 50 ડેસિબલ
શાંત ક્ષેત્ર: રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી 40 ડેસિબલ
ક્યાંથી શરૂ થયો હતો લાઉડસ્પીકરનો વિવાદ?
MNS ચીફ રાજ ઠાકરેએ ગુડી પડવાના અવસર પર અઝાનનો મુદ્દો ઉઠાવ્યો હતો
રાજ ઠાકરેએ અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવાની માંગ કરી હતી
ઘણી જગ્યાએ MNS નાં નેતાઓએ મસ્જિદોની બહાર લાઉડસ્પીકરથી ભજન ગાયા હતાં.
ભાજપના નેતા મોહિત કંબોજ વિવાદમાં કૂદ્યાં, મંદિરોમાં મફત લાઉડસ્પીકરની ઓફર કરી
રાજ ઠાકરેનું ઉદ્ધવ સરકારને 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ
રાજ ઠાકરેના અલ્ટીમેટમ પર શરદ પવારે કહ્યું કે, તેઓ ત્રણ મહિનામાં એક વાર જાગે છે.
શિવસેનાના સંજય રાઉતે સવાલ ઉઠાવ્યો કે બીજેપી શાસિત કયા રાજ્યમાં અઝાન બંધ થઈ ગઈ?
મહારાષ્ટ્રના સપા પ્રમુખ અબુ આસીમ આઝમીએ હનુમાન ચાલીસા વાંચનારાઓને જ્યુસ પીવડાવ્યો હતો