ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / What are the remedies in Vastu Shastra to save money
ADVERTISEMENT
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુઓ, ખૂણા તથા દિશાઓ મહત્વ રાખે છે. કઇ જગ્યાએ મૂકવી કે ન મૂકવી તે તમામની અસર વાસ્તુમાં જણાવવામાં આવી છે. ત્યારે એવી ઘણી બાબતો છે જેનાથી પૈસાનો વ્યય થાય છે. કમાવવા છતાં પૈસા બચતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર અનેક પ્રકારના વાસ્તુ નિયમોનું પાલન ન કરવાથી પૈસા ક્યારેય ઘણી જગ્યાએ નથી રહેતા. આના કારણે સંપત્તિ એકઠી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેથી આપણે ઘરમાં વાસ્તુ નિયમોનું પાલન કરવું જોઈએ. અહીં અમે તમને એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે પૈસા બચાવી શકો છો.
ADVERTISEMENT
1. જો તમારા ઘરનો દરવાજો અવાજ કરે છે, તો તેને તરત જ રિપેર કરો. દરવાજાના મિજાગરામાં તેલ લગાવી દો એટલે અવાજ નહી થાય. જો દરવાજામાંથી અવાજ આવતો હોય તો વાસ્તુની દ્રષ્ટિએ પૈસા ટકે નહી. તેથી, બહારના દરવાજાથી બિલકુલ અવાજ ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.

ADVERTISEMENT
2. જો તમે ઘરમાં દવાઓ રાખો છો તો ધ્યાન રાખો કે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં દવાઓ ન રાખો. આમ કરવાથી ઘરમાંથી રોગનો અંત આવતો નથી અને પૈસાની સમસ્યા પણ બની જાય છે.

ADVERTISEMENT
3. જો દક્ષિણ-પૂર્વ દિશામાં વાદળી રંગ હોય તો ત્યાંથી વાદળી રંગ દૂર કરવાની કાળજી લેવી જોઈએ. આ દિશામાં પીળો કે ગુલાબી રંગ રાખો. આમ કરવાથી તમારા ઘરમાં પૈસા આવશે.

ADVERTISEMENT
4. આ રંગના કપડાં ન પહેરો- કાળો રંગ વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે. આવી સ્થિતિમાં કરિયરમાં ઉતાર-ચઢાવથી બચવા માટે કાળા કપડા ન પહેરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો