કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાયપુરમાં NIA ઓફિસનું કરીને એવું જણાવ્યું કે સરકાર ડાબેરીપંથી ઉગ્રવાદ અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલેરન્સની નીતિ ધરાવે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં કર્યું NIA ઓફિસનું ઉદ્ધાટન
CM ભૂપેશ બઘેલ પણ રહ્યાં હાજર
કહ્યું- ડાબેરીપંથી ઉગ્રવાદ અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલેરેન્સની નીતિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈ)ના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. એનઆઈએ ઓફિસના ઉદ્ધાટન પ્રસંગે અમિત શાહે ડાબેરી ઉગ્રવાદ અને આતંકવાદ પ્રત્યે ઝીરો સહિષ્ણુ નીતિની વાત કરી હતી.
We've zero-tolerance toward left-wing extremism & terrorism. We've empowered NIA. Technical, cyber & forensic experts & continuous learning power have been inbuilt in NIA. We expanded NIA's scope to other countries too: Union HM Amit Shah at inauguration of NIA office in Raipur pic.twitter.com/ybMyaBRMkF
બીજા દેશોમાં એનઆઈએનો વ્યાપ વધાર્યો
અમિત શાહે કહ્યું હતું કે, "ડાબેરી ઉગ્રવાદ અને આતંકવાદ પ્રત્યે અમે શૂન્ય સહિષ્ણુતા ધરાવીએ છીએ. સરકારે એનઆઈએને વિશેષ અધિકાર આપ્યો છે. ટેકનિકલ, સાયબર અને ફોરેન્સિક નિષ્ણાતો અને સતત શીખવાની શક્તિ એનઆઈએમાં સમાવિષ્ટ છે. આ પ્રસંગે તેમણે એનઆઈએનો વ્યાપ અન્ય દેશોમાં પણ વિસ્તારવા હાકલ કરી હતી.ગૃહમંત્રી અમિત શાહે એવું પણ કહ્યું કે અમે બીજા દેશોમાં પણ એનઆઈએનો વ્યાપ વધાર્યો છે. અમિત શાહે કહ્યું કે આ ભવ્ય ભવન એનઆઈએની વધી રહેલી શાખ અને દબદબાનું પ્રતિક છે. એનઆઈએએ 94 ટકા કેસ ઉકેલી કાઢ્યાં છે. આ કેસમાં એવા પણ કેસ સામેલ છે કે જેમાં કાવતરુ દેશની બહાર ઘડાયું હોય અને ઘટના અહીં થતી હોય. તેમણે કહ્યું કે આતંકવાદનો સફાયો કરવામાં એનઆઈએ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.
Narendra Modi govt took all efforts to strengthen probe agencies such as NIA and anti-terror laws in line with its policy of zero tolerance towards terrorism: Union Home Minister Amit Shah
મે 2024 પહેલા દેશના તમામ રાજ્યોમાં એનઆઈએ બ્રાન્ચ
અમિત શાહે કહયું કે 3 વર્ષમાં એક ફેડરલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજનસીએ બનાવવામાં ખૂબ પ્રયાસ કરાયો છે. રાયપુરમાં સવા એકરમાં એનઆઈએ ઓફિસ બનાવાઈ છે. પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ બન્નેને સહયોગ આપવા બદલ ધન્યવાદ આપું છે. શાહે કહ્યું કે 10 રાજ્યોમાં એનઆઈએએ તેનો વિસ્તાર કર્યો છે. 2019માં ચંદીગઢ, 2020માં રાંચી, 2022માં જયપુર, અમદાવાદ, બેંગ્લુરુ, પટણા, ભોપાલ અને ભુવનેશ્વરમાં એનઆઈએ ઓફિસ શરુ કરાઈ છે. એનઆઈએએ 3 વર્ષમાં 18 રાજ્યોમાં પોતાની બ્રાન્ચ ખઓલી છે. મે 2024 પહેલા દેશના તમામ રાજ્યોમાં એનઆઈએની બ્રાન્ચ હશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે એનઆઈએને મજબૂત કરવાનું કામ કર્યું છે અને તેના સારા પરિણામ પણ સામે આવ્યાં છે.