પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કોલકત્તાના ઇસ્કોન મંદિરમાં પૂજા અર્ચના કરી. પ.બંગાળના મુખ્યમંત્રી સાથે બંગાળી એક્ટ્રેસ અને ટીએમસી (TMC) સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) પણ પહોંચી હતી. દેસના ઘણા ભાગમાં આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. કોલકત્તામાં પણ યાત્રા નીકળી રહી છે. આયોજકોએ નુસરત જહાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા.
નુસરત જહાંએ અહીં પોતાના પતિ નિખિલ જૈન સાથે પહોંચી હતી. સીએમ મમતા બેનર્જી (Mamata Banerjee) સાથે નુસરત જહાંએ પણ પંડાળમાં પૂજા-અર્ચના કરી હતી.
નુસરત જહાં પ.બંગાળના બસીરહાટ લોકસભા બેઠકથી TMC સાંસદ છે. નુસરત જહાં આ દરમિયાન વિવાદ પર જવાબ આપ્યો હતો. નુસરત જહાંએ કહ્યું કે તે જન્મથી મુસલમાન છે. અને ઇસ્લામમાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ જોકે સાથે તેમણે સાથે કહ્યું કે તે દરેક ધર્મનું સન્માન કરે છે.
May Lord Jagannath bring in the best colours of success, prosperity and happiness to your life. Wishing you and your family blessed Rath Yatra! 🙏 pic.twitter.com/1uf5XCLqNz
ઇસ્કોન મંદિરમાં પૂજા અર્ચના કરતા પહેલા મમતા બેનર્જીએ ટ્વિટર પર રથયાત્રાની શુભ કામાન પાઠવી હતી. 'રથયાત્રાના શુભ અવસર પર તમામને હાર્દિક શુભકામના. જય જગન્નાથ.'
આપને જણાવીએ કે, નુસરત જહાંએ હાલમાં જ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પર વિવાદ થયો હતો. કેમકે તે ખુદ મુસ્લિમ છે અને તેમણે જૈન રીત રીવાજથી લગ્ન કર્યા હતા. આ ઉપરાંત જ્યારે તે સાંસદ બન્યા સંસદમાં શપથ લેવા પહોંચ્યા ત્યારે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.