west bengal by polls tmc grab all 3 seats bjp vote share drop against 2019 lok sabha elections nrc mamata banerjee amit shah assembly elections
રાજનીતિ /
આ રાજ્યમાં પણ ભાજપનું સત્તા મેળવવાનું સપનું અધૂરું રહી શકે, 23 ટકા વોટનું નુકસાન
Team VTV04:29 PM, 29 Nov 19
| Updated: 04:57 PM, 29 Nov 19
પ.બંગાળમાં કરીમનગર, કાલિયાગંજ અને ખડગપુર સદર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીના નેતૃત્વ વાળી તૃણમૂલ કોંગ્રેસ ( TMC ) એ ત્રણેય બેઠકો પર કબજો કર્યો છે. પં.બંગાળમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામો ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
પ.બંગાળની ત્રણ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી પર TMCએ કબજો કર્યો
પં.બંગાળમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામોથી ભાજપને મોટો ઝટકો
નોંધનીય છે કે, 2016ની પં.બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને આ ત્રણેય વિધાનસભાઓમાંથી માત્ર એક પર જીત મળી હતી. જ્યારે એક બીજેપી અને એક બેઠક કોંગ્રેસને મળી હતી. પરંતુ હવે પેટા ચૂંટણીઓમાં ટીએમસીને ત્રણેય બેઠકો પર મળેલી જીતે ભાજપને આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની રણનીતિ પર વિચાર કરવા માટે મજબૂર કરી દીધી છે.
2019ની સામાન્ય ચૂંટણીઓમાં આ ત્રણેય બેઠકો પર ભાજપની વોટ ટકાવારી 50 ટકાથી વધારે રહી હતી. જ્યારે ટીએમસીની વોટ ટકાવારી 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની સામાન્ય ચૂંટણીઓમાં એક જેવી જ રહી હતી. પરંતુ 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓની વોટ ટકાવારી પર કબજો કર્યો હતો. પરંતુ વર્તમાન પેટા ચૂંટણીઓના પરિણામ જોઇને લાગી રહ્યું છે કે ટીએમસી ટીએમસીએ BJPની વોટ ટકાવારીમાં ગાબડુ પાડ્યું છે, જેનું નુકશાન બીજેપીએ ભોગવવું પડ્યું.
ચૂંટણી પંચની એક રિપોર્ટ પર નજર નાંખવા પર જાણવા મળે છે કે, હાલની પેટા ચૂંટણીઓમાં ખડગપુર સદર વિધાનસભા બેઠક પર ભાજપની વોટ ટકાવારી સામાન્ય ચૂંટણીની તુલનામાં 23 ટકા ઘટી ગઇ છે. જ્યારે કરીમપુર બેઠક પર ભાજપની વોટ ટકાવારીમાં થોડોક વધારો થયો છે. કાલિયાગંજ બેઠક પર પણ ભાજપાને લગભગ 9 ટકા વોટોનું નુકશાન ઉઠાવવું પડ્યું છે.
રાજનીતિના જાણકારો મુજબ, પં.બંગાળમાં પેટા ચૂંટણીઓમાં ભાજપને મળેલી હાર પાછળ NRC મહત્વપૂર્ણ મુદ્દો હોઇ શકે છે.