સુરતમાં ભાજપે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પાટીદાર આગેવાન ધીરુ ગજેરાની ઘર વાપસી થશે. આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. અગાઉ Vtv સાથેની વાતચીતમાં ભાજપમાં જોડાવાને લઇ ધીરૂ ગજેરાએ કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી હું 3 વિધાનસભા અને 1 લોકસભાની ચૂંટણી હાર્યો છું. ત્યારે ભાજપના ઘણા મિત્રોએ ઘરવાપસી કરવા આગ્રહ કર્યો હતો.કોંગ્રેસમાં ઉમેદવારોને સંગઠનથી લઇને કોઇ સહકાર નથી મળતો.
જ્યારે ભાજપના કાર્યકરોમાં અસંતોષ હોય તો પણ તેઓ ભાજપ માટે જ કામ કરે છે. કોંગ્રેસમાં સંગઠનનો સહકાર ન મળતા હાર થાય છે. સાથે જ તેઓએ કહ્યું કે હું કોઇ શરતો સાથે ભાજપમાં નથી આવ્યો. પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. અને ટિકિટ આપવી ન આપવી પાર્ટીનો અધિકાર છે.